________________
૫૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
થાય તો એ ક્ષન્તવ્ય છે, કા૨ણ કે એના સંસ્કાર જુદા છે. એક કસાઈ પચાસને મારે અને એક વાણિયાનો દીકરો પચાસને મારે તો એ બેમાં ભેદ નહિ ? વાણિયાના દીકરાને કહેવાય કે ‘પેલો તો કસાઈ હતો પણ તું વાણિયો થઈને આવું કામ કરે ?' અનાર્ય દેશમાં જન્મેલા તો અનીતિ પણ કરે પણ આર્યો અનીતિ કરે ? એ અનાર્યો છતાં એમની નીતિ પણ કેવી ? મહિનામાં ચાર દિવસ રજા રાખે પણ તે અખંડ પાળે, તેમાં પછી ઘાલમેલ નહિ. તમારી તો હડતાલ પણ કેવી ? અરધાં બારણાં ઉઘાડાં અને અરધાં બંધ. પાછલે બારણે કામ ચાલે. કદી વેપાર થાય તેમ ન હોય તો માલની હેરાફેરી વગેરે કામ તે દી' ઉકેલે. જ્યારે યુરોપિયન બો રવિવારે કામ ન કરે તે ન જ કરે. એનો ઑફિસ ટાઇમ અગિયારથી છનો નિયત જ્યારે તમારો ટાઇમ ચોવીસ કલાક, એ જેને ટાઇમ આપે તે ટાઇમે એ મળે જ. કેમ કે એ ડાયરીમાં નોંધ રાખે,અને જેટલાને મળવાની ઇચ્છા હોય તે બધાને જુદા જુદા ટાઇમ આપે. તમે તો બધાને આઠ વાગે આવવાનું કહી દો અને પછી સવારના આઠ વાગે આવેલાને રાત્રે આઠે પણ મળવાનો પત્તો ન લાગે એવી તમારી દશા છે.
1750
પ્રતિબંધ સદાચારો પર કે અનાચારો પર ?
આર્ય કહેવરાવતાં તો મોંમાં પાણી આવે છે. પણ આર્ય થયા તો આર્યત્વના સંસ્કા૨ જીવી જાણો. યુરોપિયન બચ્ચો બોલ્યા પછી કદી ફરે નહિ. એની માલ પરની છાપ પ્રાયઃ સાચી જ્યારે હિન્દુસ્તાનના વેપારીની છાપ જ ખોટી, એવી વાત સંભળાય છે. જેટલા ટકા ત્યાં સાચાની સંભાવના એટલા જ ટકા અહીં ખોટાની સંભાવના છે અને એની આજે બૂમરાણ પણ ચાલે છે. શાસ્ત્ર કહે છે કે એ લોકો એટલું કરે છે તોયે ધર્મ નથી કેમ કે એ કાંઈ પુણ્ય-પાપ માનીને એમ નથી વર્તતા પણ મનુષ્યજાતિના સીધા વ્યવહાર માટે એમ વર્તે છે. તમે તો ધર્મ માનીને આ બધું કરો અને એ પ્રમાણે વર્તો તો મનુષ્યરૂપે દેવ જેવા બનો. પણ આ તો ઇરાદાપૂર્વક દાનવ બનવા માંડ્યું છે એ બીના ભયંકર છે. તો કહો ! પ્રતિબંધ શાના પર હોય ? અહિંસાદિ સદાચારો પર કે હિંસાદિ અનાચારો પર ?
આજ્ઞાભંગ વખતે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે
જેને પોતાનું મનાય એના નાશ વખતે મૌન ન હોય. આજ્ઞાભંગના પ્રસંગે મૌન ધારણ કરનારનાં વ્રતો લોપાય છે એમ આ મહાત્મા ફ૨માવે છે. ગર્ભાવાસ તથા નરકાવાસ સારો. પણ આવા આજ્ઞાભ્રષ્ટ ઉઠાવગીરોના ટોળામાં રહેવું ખોટું એમ આ મહર્ષિ ફરમાવે છે. આ સંબોધ પ્રકરણ ગ્રંથ એવો છે કે એ પાપી