________________
1749
- ૩ઃ આશાપ્રેમ અને શાસનની વફાદારી – 116 – – ૫૬૧ કોણે ? જ્યારે અનાચાર વધતો જણાય ત્યારે એ ઘટાડવાના કાયદા હોય કે વધારવાના કાયદા કરાય ? વિધવાને યોગ્ય સ્થાનમાં રાખવી, એની સારી ભાવનાને પોષવી, એની ધર્મભાવના વધે તેવી સામગ્રી પૂરી પાડવી, આવા કોઈ કાયદા કર્યા ? કાયદા હોવા ઘટે તેના હોય ?
અનાર્યમાં અનાર્ય કહેવાતી સરકારે જે કાયદા ન કર્યા તે જ્યારે જૈન કહેવાતાઓ કરે તો વિચારો કે અનાર્યતા કોનામાં આવી ? આવાની સામે છતી શક્તિએ ઉકળાટ ન કરીએ, એ જેવા છે તેવા તેમને ખુલ્લા ન પાડીએ, તો આપણે પણ પાપમાં પડીએ. સામાને અનાર્ય કહેવા અને પોતે અનાર્યોની આચરણા કરવી અને તેમ છતાં પોતાને કોઈ અનાર્ય કહે તો તેની સામે લાલ આંખ કરવી એ ક્યાંનો ન્યાય ? જેના કાયદા હોવા ઘટે તેના હોય, ન હોવા ઘટે તેના ન હોય. કોઈ દાતાર દાન દે તો તરત પૂછવા નીકળે કે “પૈસા ક્યાંથી લાવ્યો ?” “એ તો આવો અને એ તો તેવો” એમ નિંદા કરવા માંડે, દાન દેનારને બુદ્ધિ વગરના અને માનના ભૂખ્યામાં ખપાવે, આવું એ લોકોનું માનસ છે. એમને પૂછો કે જેઓ દાન નથી કરતા, પૈસા સંઘરી રાખે છે, એ કૃપણના કાકાઓ માનના ત્યાગી છે ? જેઓ સંઘ કાઢે એ માનના રાણી અને જેઓ સંઘ ન કાઢે એ માનના ત્યાગી એમ ? જો કોઈએ સંઘ કાઢ્યાની વાત એમની પાસે કોઈ ભૂલથી પણ કરે તો એ તરત બોલી ઊઠશે કે, “જોયા હવે ! પૈસા કેમ કમાયા છે તે અમે જાણીએ છીએ. ઘણાંની મૂડી દબાવી છે, કંઈક ઊંધાચત્તાં કર્યા છે અને લોકોમાં માન ખાટવા સંઘ કાઢવા નીકળ્યા છે, એવા સંઘ કાઢે એમાં શો ભલીવાર હોય ?” આવાઓને તો બોલાવી એમના ચોપડા તપાસવા જોઈએ, તો એ કેવા નીતિમાન અને શાહુકાર છે તેની ખબર પડે. ધર્મી માત્રની ટીકા કરવાનો એમનો ધંધો થઈ ગયો છે. કોઈ પૂજા કરવા જાય તોય એમને બોલ્યા વિના ચેન ન પડે અને કહે કે “હાલ્યો ભગતડો ! વેપારમાં તો બધાનાં ગળાં કાપે છે અને ભગવાનની પૂજાના ઢોંગ કરે છે.” ચોવીસ કલાકમાંથી એક કલાક પણ જે પૂજામાં કાઢે છે તેની પેલી ચોવીસે કલાક ધાંધલ ધમાલ કરનારા નિંદા કરે છે એ કેટલું ઉચિત કહેવાય ! અનાર્યોની પણ નીતિ કેવી ?
નિષ્પક્ષપાત બની આત્મનિરીક્ષણ કરે તો પોતાની ભયંકર સ્થિતિનો ખ્યાલ આવે. અનાર્યદેશમાં જન્મેલાના હાથે હિંસાના અખતરા થાય એ બનવાજોગ છે, કેમ કે બિચારા પુણ્યપાપમાં સમજતા નથી. માંસાહારીને હિંસા કરતાં કંપારી ન