________________
125
૩ : એવાઓથી સાવધાન રહેજો! - 83.
- ૩૭
આ તો જૈનશાસનના નાશની પેરવી છે?
હિતેસ્વીએ તો પોતાની પાસે આવનાર નિયમનું સ્વરૂપ, નિયમનું મહત્ત્વ અને એના લાભ સમજાવવા જોઈએ. એની પાસે નિયમની પ્રશંસા કરવી જોઈએ. એને કહેવું જોઈએ કે-“તને ધન્ય છે કે આ નિયમ તું લઈ શકે છે. આ નિયમ નાનો છે છતાં એનો લાભ મોટો છે. એનાથી આટલા આટલા તરી ગયા” વગેરે બધું એને કહ્યા પછી નિયમ સાચવવાની સાવધગીરી અપાય કે લેતાં પહેલાં જ પગ ભાંગી નખાય ? “નિયમ લઈને ભાંગવો એના કરતાં ન લેવો સારો” આવો કુમત આજે દુનિયામાં કેટલાક ફેલાવી રહ્યા છે. મારે એમને પૂછવું છે કે મરવું ભૂંડું તો જન્મવું ભૂંડું નહિ ? જન્મની સાથે જ મરણ નક્કી છે તો પછી જન્મ જ શા માટે અપાય છે ? જન્મીને પણ જીવી જાણે તે રીતે જીવીને મરે તે કામનો પણ જીવવું કેમ, તે સમજ્યા વિના જેમતેમ જીવન પૂરું કરીને મરે તે નકામો છે. જીવનને સારી રીતે જીવવા નિયમની જરૂર નથી ? છે જ. નિયમ લીધા પહેલાં જ ભાંગવાની વાતો કરી, ખોટો હાઉ બતાવી, નિયમ નહિ લેવા સમજાવાય છે તે જૈનશાસનના નાશની પેરવી છે. પેઢી ખોલી એટલે તાળું, નકુચો, સાંકળ, બધું જોઈએ કે નહિ ? જોઈએ જ. એ જ રીતે જન્મ્યા કે જીવન નિયમબદ્ધ જોઈએ જ. નિયમ વિના કેમ ન ચાલે? | નિયમ વગરનું જીવન એ માનવજીવન નથી પણ પશુ જીવન છે. જંગલમાંથી નગરમાં આવનારે નગરની રીતે રહેવું પડે. રહેવા માટે ઘર બાંધવાં પડે. કર પણ ભરવો પડે. જગ્યા ન હોય તો રખડતા ન રહેવાય. કોઈના ઓટલે પડ્યા રહેવું હોય તો યે એનો ઓટલો માગી લેવો પડે. જંગલમાં તો ચારે તરફ ઝાડી હોય એટલે જ્યાં ત્યાં ઘૂસવું હોય તો ઘૂસાય અને જ્યાં ત્યાં પડી રહેવાય. નગરમાં તોં ચરે તરફ ઘરો હોય ને સારા આબરૂદાર માણસો રહેતા હોય તેથી
જ્યાં ત્યાં કોઈના ઘરમાં ન ઘૂસાય. ઘૂસે તો માર ખાવો પડે અને પોલીસને હવાલે થવું પડે. જંગલની રહેણીકરણી જંગલમાં ચાલે, નગરમાં ન ચાલે. નગરમાં જંગલીની જેમ ન રહેવાય. નગરમાં રહેવા ઇચ્છનારે નગરના નિયમો પાળવા જ પડે.
એ જ રીતે જૈનકુળમાં જન્મેલાને કુળના નિયમો ન હોય ? શ્રાવકને સાતેય વ્યસનનો ત્યાગ ન હોય ? માંસ, મદિરા, શિકર, ચોરી, જુગાર, પરસ્ત્રીગમન અને વેશ્યાગમન શ્રાવકને હોય ? ન જ હોય. તો એનો નિયમ કેમ નહિ ? લોકમાં પણ જે કાર્યો નિદ્ય છે તે કાર્યો જૈનકુળમાં તો ન જ હોય