SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ 128 ૩૬ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ લે, તેમજ બીજા પણ અત્રે આવનારા દુનિયાના અનેક પાપોથી બચવાના નિયમો લે. બધાની ભાવના એક પણ વર્તનમાં ન્યૂનાધિકતા હોય. પરંતુ તે પણ કાબૂમાં રહીને; ઇચ્છા મુજબ નહિ. નિયમરૂપી સુવર્ણભૂમિતલ વિના ચિત્રકૂટ રહે ક્યાં ? ગોઠવાય કઈ જગ્યાએ ? મેરૂપર્વત શોભે શિખરથી તેમ શ્રી સંઘ પણ શોભે નિયમબદ્ધ હૃદયથી. શ્રી સંઘનાં હૃદય એવા નિયમબદ્ધ હોય કે એને લઈને એ શ્રી સંઘમેરૂને જોવા દુનિયા દોડીને આવે. શિખર વિનાનો પહાડ બાંડો લાગે. જોવો પણ ન ગમે. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાનાં હૃદય એ શ્રી સંઘમેરૂના કૂટ (શિખ૨) છે એ હૃદયને કૂટ બનાવવા હોય તો એને નિયમ પર આરૂઢ કરો. વાતવાતમાં અમારાથી “આ ન પળાય ને તે ન પળાય એમ શાથી કહો છો ? તમારીથી શીરાપુરી ઉડાવાય, મખમલની તળાઈઓમાં પોઢાય, રંગરાગ થાય અને માત્ર નિયમ જ ન પળાય, એનું કારણ ?. . નિયમ તૂટી જાય તો ?... નિયમ ન પળાય એવું જૈન બચ્ચો બોલે ? નિયમ એ કાંઈ વાઘ દીપડો છે ? કહે છે કે “નિયમ તૂટી જાય તો ? આજે તો આ એક મોટો હાઉ બતાવાય છે. હું પૂછું છું કે “લાખ જાય તો ? લાખ જાય કે ન જાય ? જાય એવું જાણવા છતાં મેળવવાની ધમાલ કેમ ? પાઘડી ઊડી જાય અને દુપટ્ટા ખેંચાઈ જાય, એવું ન બને ? બને છે છતાં પહેરો છો કેમ ? જન્મેલા મરે છે છતાં જન્મ આપો છો કેમ ? નિયમ ભાંગવાની બીકે નિયમ લેવાય જ નહિ એવો સિદ્ધાંત તો જેમને ધર્મ સાથે સ્નાનસૂતક પણ નથી એવા પાપી લોકોએ ફેલાવ્યો છે. એવાઓ ચડતાં પહેલાં જ પડવાની મ્યોકાણ માંડે છે. હજી તો જોષીને બોલાવ્યો પણ ન હોય, માત્ર લગ્નની વાત જ ચાલતી હોય ત્યાં તો “રંડાપો આવશે તો !” એમ કહીને ઊભા રહે એ કેવા ? એવાને તો ત્યાંથી ઉઠાડી મૂકવા પડે. શુકનથી શબ્દ આગળ કરનારા એવા બટકબોલાને ત્યાં બેસાડાય જ નહિ. એ અપશુકનિયાને રવાના જ કરવા પડે. લોકો સમજે છે કે-“ભાગ્ય એવું હશે તો રંડાપો પણ આવશે.” પણ એટલા માત્રથી લગ્ન કરતા બંધ થયા ? આજે તો કોઈ નિયમ લેવા જાય (જો કે જનારા છે જ ક્યાં ? આ તો ક્વચિત્ કોઈ જાય) તો પેલા એને અટકાવીને ભડકાવે કે “નિયમ લેવા ચાલ્યો પણ પળાશે કે નહિ, એનો વિચાર કર્યો ?' પેલો જરા કાચોપોચો હોય તો તરત ઢીલો પડે, એટલે પેલા કહે કે-ઉતાવળ ન કર, લેજે ખરો પણ જરા વિચાર કરીને લેજે."આટલું સાંભળે એટલે પેલો પાછો જ ફરે અને પછી તો વિચારીને આવે ત્યારે ! આવે જ શાનો ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy