________________
૫૫૮
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ – – 1745 ઉકળાટથી તો અરધું કામ પતે છેઃ
આ શરીરને એક દિવસ બાળી મૂકવાનું છે એમ બધા જાણે છે, છતાં જરા તાવ આવ્યો કે તરત ડૉક્ટર બોલાવાય છે, કેમ કે શરીરને પોતાનું માન્યું છે, એ જ રીતે જેણે શાસનને પોતાનું માન્યું, શાસનથી જ પોતાનું કલ્યાણ માન્યું એવા આત્માને શરીરના પૂજારીનો શરીર પર જેટલો પ્રેમ તેટલો જ બબ્બે તેથી પણ અધિક પ્રેમ શાસન પર હોય અને જો એમ ન હોય તો સમ્યકત્વ નબળું અથવા મિથ્યાત્વ ગાઢ સમજવું. શાસન સામેના હુમલા વખતે તો ઉકળાટ એવો થાય કે સામાને પરસેવો છૂટી જાય. એવા ઉકળાટથી તો ઓછી મહેનતે કાર્યસિદ્ધિ થાય. આંખના ડોળા ફેરવ્ય ઘણાં કામ થાય છે. આંખના ડોળે તો રાજાઓનાં રાજ ચાલે છે. પ્રહાર તો અવસરે કરે પણ આંખના ડોળે આખું તંત્ર ચલાવે. એક માણસ દૂરથી મારવા માટે ધસ્યો આવતો હોંય પણ સામે ઊભેલો જોરથી એક અવાજ કાઢે તો પેલો તરત થંભી જાય અને થંભ્યો એટલે ખલાસ. પછી તો અણી ચૂક્યો સો વર્ષ જીવે. આવેશમાં હોત તો ઘા કરી બેસત એ વાત સાચી પણ પડકાર થતાં અટકી ગયો. પછી ખૂન ન થાય એ નિયમ. આવેશમાં કૂવામાં પડતું મૂકવા જાય એ જો તરત પડતું મૂકે તો તો પડે. પણ જો જોવા રહ્યો તો પછી ન પડી શકે. ઉકળાટથી તો અઘરું કામ પતે છે.
સભાઃ પ્રભાવકો આવું કરતા ?
પ્રભાવકોએ જે કર્યું છે એમાંનું તો આપણે કાંઈ જ કરી શકતા નથી. એમની પાસે તો આપણે રદ છીએ. આપણી લાગણી અને પ્રવૃત્તિ ચાલુ છે એટલો સંતોષ માનવાનો. પ્રભાવકોની પ્રવૃત્તિ શી હતી ?
સભાઃ “અજ્ઞાન સમાજને જ્ઞાનમાર્ગે દોરવો એ.”
તમે સાધુના આચાર તથા મર્યાદા સમજો. શ્રી જિનેશ્વરદેવનું મંદિર બાંધવાનો સાધુ ઉપદેશ આપી શકે. પણ પાયો ખોદવા ન જાય. મંદિરનો પાયો ખોદવા ન જાય તો બીજાની વાત શી ? ‘તમારે માટે મંદિર તારક, મંદિર વિના ધર્મીનો ધર્મ ન ટકે” આવો તમામ ઉપદેશ મુનિ આપે. પણ મંદિરનો પાયો ખોદવા મુનિ ન આવે. સાધુ અને ગૃહસ્થને એક હરોળમાં કરવા માંગો છો પણ એ ન થાય. આજ્ઞાના ભંગ વખતે મધ્યસ્થતાનો ડોળ કરી મૂંગા રહેનારના વ્રતનો લોપ થાય છે. આ મહાત્મા કહે છે કે, તેઓ વ્રત પાળતા નથી પણ દંભ કરે છે. વ્રતપાલનનો દેખાવ ન કરે તો સાધુ તરીકે પૂજાય નહિ માટે એટલું કરે છે. પાલન કરવા માટે પાળતા નથી. જેનાથી પોતે પામ્યા એના નાશ વખતે મૌન રહે શી રીતે ? “આવો ગુસ્સો શા માટે ? આવો ઉકળાટે શા માટે ?' એમ