________________
1742
૫૫૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સર્વશિક્ષા આપવી એમ આ મહર્ષિ જણાવે છે. દીકરાનાં હિતૈષી મા-બાપે દીકરાના ખોટા કામ માટે એને સજા કરવી જ જોઈએ. ઘરની કુટુંબની તથા વંશની આબરૂનો રાગી, એને સાચવવાની પૂરી ઇચ્છાવાળો, પૂર્વજોની ચાલી આવતી મર્યાદાનો પ્રેમી, જ્યારે એ મર્યાદા લંઘાય ત્યારે પોતાના વહાલામાં વહાલા બાળકને શિખામણ કે શિક્ષા દીધા વિના રહેતો નથી. કુળમાં ન કરવા જોગીકરણી કરીને જો કોઈ કુળને કલંકિત કરતો હોય તો કુંમહત્તાને માનનારો એની ઉપેક્ષા શી રીતે કરે ? એ વખતે ‘એ નાનો છે' એવો બચાવ ન ચાલે; અને જો એવો બચાવ કરે તો માનવું કે એને કુળસંસ્કા૨માં પ્રેમ નથી. ‘ટોળું વધતું જાય છે, સારા થોડા છે માટે પેલા મોટા ટોળાના વિરોધની પંચાતમાં ક્યાં પડવું ? આભ ફાટે થીગડાં ક્યાં દેવાં ? લોટામાં કે માટલામાં ભાંગ પડી હોય તો તેને દૂર કરાય પણ તળાવમાં કે કૂવામાં ભાંગ પંડી હોય ત્યાં શું થાય ?' આવું આવું શ્રી તીર્થંકરદેવનીં આજ્ઞાના પ્રેમીથી ન બોલાય. શ્રીસંઘની ભક્તિમાં તત્પર હોય એનાથી આવાં વચનો ન ઉચ્ચારાય કે ન વિચારાય. ગર્ભાવાસની પીડાનો પાર નથી અને નરકાવાસની પીડા તો એથી પણ અધિક છે, પરંતુ આ મહાત્મા ફરમાવે છે કે ફરીને ગર્ભમાં પેસવું ઠીક, કદી નરકાવાસમાં જવું પડે તો એ પણ ઠીક, પણ આવાં આજ્ઞાભ્રષ્ટ નામસંઘના ટોળામાં વસવું ભૂંડું. સદૃષ્ટિ આત્માને જેટલી પીડા ગર્ભમાં કે નરકમાં ન થાય તેટલી પીડા અથવા તેથીય ભયંકર વેદના એને આજ્ઞાભંજક ટોળામાં રહેવામાં થાય.
સભાઃ ‘કૂવાનું પાણી પીવાથી આખું ગામ ગાંડું થયું હતું ત્યારે ડાહ્યા રહેલા રાજા અને પ્રધાન પણ એવા બન્યા ને ?’
ના, એવા બન્યા નથી. પણ બચવા માટે એવો દેખાવ કર્યો છે. એમણે કાંઈ તે કૂવાનું પાણી પીવાની મૂર્ખાઈ કરી નથી. આવાં ટોળાંના સહવાસ કરતાં આ મહાત્મા નરકાવાસને પણ મજેનો કહે છે. કેમ કે ત્યાં કર્મનો ક્ષય થાય છે, જ્યારે આ ટોળામાં કર્મનો બંધ થાય છે. સમ્યદૃષ્ટિ આત્મા દુઃખથી ન ગભરાય પણ સત્ય વસ્તુના લોપથી જરૂર ગભરાય. આજે તો મોટો ભાગ એવો છે કે ભગવાન માટે કે આગમ માટે કોઈ કાંઈ કહે તો ત્યાં ઉપેક્ષા કરે; ‘ભગવાનના તથા આગમના કર્મનો ઉદય' એમ કહે, માત્ર પોતાની સાહ્યબી તથા માનમરતબાને વાંધો ન આવે, એવી કાળજી રાખે. આ ભાવનાવાળાને સમ્યગ્દષ્ટિ ન કહેવાય. સાચો સ્નેહી તે કે જે આવતા પ્રહારને પોતે ઝીલીને પોતાના સાથીને બચાવે. આજે તો પોતાના બચાવ માટે પ્રહારની આડે સાથીને