________________
1725 - ૩૫: આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૭ પણ બે ન માનતા હોય, તેની પીડા મનને સતાવ્યા કરે, આવી તમારી હાલત છે. સ્વજનધૂનન કર્મધૂનન માટે છે, આત્મા પર કર્મના અનંતાનંત અણુઓ વળગેલા છે. જેણે આત્માનું અનંત ધન હર્યું છે તેને દૂર કરવા સ્વજનધૂનન છે. ત્યાગની રુચિ વિના શ્રી જિનેશ્વરદેવ તથા એમનો ધર્મ ન ગમે. એના વિના સાચું દર્શન ન થાય, સાચી પૂજા ન થાય, સાચું ચૈત્યવંદન ન થાય અને સાચી ઇરિયાવહી ન પડિક્કમાય. જેને દુનિયાના પદાર્થો પ્રત્યે અરુચિ ન થાય તેને અહીં રુચિ ન આવે.
સભાઃ “ચાર-ચાર કલાક પૂજામાં બેસાય છે તે અમથું ?'
સ્મશાનમાં સ્વજનનું મડદું હોય ત્યારે. પણ ચાર કલાક ક્યાં નથી બેસતા ? શા માટે બેસો છો એ મહત્ત્વનું છે. દુનિયાના રંગરાગ ચાલુ રાખવા માટે પૂજા કાં ન થતી હોય ? આડતિયો આવે ત્યારે સામા જવું, ખાતર-બરદાસ કરવી, તેનો હુકમ ઉઠાવવો, પાટલે બેસાડી મિષ્ટાન્ન જમાડવાં અને જી-જી કરીને સુકાઈ જવું. આ બધું શાથી ? ત્યાં આત્મામાં ભક્તિ, વિનય કે નમ્રતા આવી ગયાં ? ના. આડતિયાને રાજી રાખશું તો બાર મહિને બે-પાંચ હજાર કમાવી દેશે એ ભાવના છે. મંદિરમાં તમારી કઈ ભાવના છે તે તમારા આત્માને પૂછો. જેટલી વિશુદ્ધિ તે બદલ ધન્યવાદ. એક-એક સૂત્ર બોલતાં.આત્મા વલોવાય. પૂજા વગેરે તો રસાયણ છે, આ તો ગ્રામોફોનની રેકોર્ડની જેમ ક્રિયા ચાલુ છે. ચિંતામણીને નજીવી ક્રિયામાં ફેંકી દેવું કે મૂઠી ચણા માટે આપી દેવું એ મૂર્ખતા છે. મૂર્ખાઈને કારણે લાભને બદલે હાનિઃ
એક પટેલ ગામનો મુખી હતો. પોતાના દીકરાને બાદશાહ પાસે કાંઈ કામે મોકલ્યો. પટેલભાઈ અને મુખીનો દીકરો એટલે બાદશાહને સલામ શાનો ભરે ? બાદશાહ પાસે જઈને થાંભલાની જેમ ઊભો રહ્યો એટલે બાદશાહે તેની આવી ઉદ્ધતાઈ માટે જેલ ભેગો કર્યો. બાપને ખબર પડી એટલે એ બાદશાહ પાસે આવ્યો અને એકને બદલે બે સલામ ભરતાં બોલ્યો કે, “સાહેબ ! છોકરો તો મૂર્તો હતો. આ આપનેય સલામ અને આપના પેટનેય સલામ.' બાદશાહનું પેટ મોટું હતું. એટલે બાદશાહને મશ્કરી લાગી, એથી પટેલને પણ જેલમાં પૂર્યો. આ સાંભળીને પટેલની નજીકનો સંગો બાદશાહ પાસે આવ્યો. એણે પેલા બેયને મૂર્ખ કહી પોતે સલામ ભરતાં બોલ્યો કે, “નામદાર ! આપને જ સલામ ભરવી જોઈએ, પેટને શું ફોડવું હતું કે વળી એને સલામ ભરી ?” આ સાંભળી બાદશાહે એને પણ જેલમાં ધકેલ્યો. આ બધાની ભાવના સારી, ક્રિયા પણ સારી કરવા આવ્યા હતા. પણ મૂર્નાઈના કારણે લાભને બદલે હાનિ ઉઠાવે છે.