________________
૫૪.
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
'1734 માને તો પોતાનો નાશ થાય. શાસ્ત્ર પહેલું સ્વજનધૂનન અને પછી કર્મધૂનન કેમ કહ્યું ? કર્મધૂનન માટે સ્વજનધૂનન છે. મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે?
જે અનાદિકાળથી કરો છો તે જ કરવાનું જ્ઞાની કહે છે, માત્ર હેતુ ફેરવવાનું કહે છે. આ જગતમાં સ્વજનધૂનન તો ચાલુ જ છે. પ્રસંગે બાપ દીકરાનો તો દીકરો બાપનો. પતિ પત્નીનો તો પત્ની પતિનો પરિત્યાગ કરે છે. એ રીતે ધૂનન ચાલુ જ છે. સાપ નીકળે તો ઘરનો ત્યાગ કરીને ભાગો છો, મરકી ફાટી નીકળે તો ઘરને તાળાં મારીને ત્યાગ કરીને ભાગો છો અને લાહ્ય લાગે તો કપડાં કાઢીને ભાગો છો. આમ ક્ષણે ક્ષણે તમારો ત્યાગ તો ચાલુ જ છે. તમે કાંઈ કમ ત્યાગી છો ? વાડકી આવી હોય એને જ વાડકી આપો છો, વાડકી આવતી બંધ થાય કે તરત તમે પણ મોકલવી બંધ કરો છો. ચાંલ્લો ત્યાં જ કરો છો કે જ્યાંથી આવતો હોય. આ રીતે તમારો ત્યાગ એવો થાય છે કે જેથી રાગ વધે છે અને પરિણામે હાનિ થામ્ર છે. રાગ ઘટે તેવો ત્યાગ કરવાનું જ્ઞાની ફરમાવે છે. રાગ માટેનો ત્યાગ તો અનાદિકાળથી ચાલુ છે, પણ હવે અનંતજ્ઞાનીના કથન મુજબ થોડો વખત અનુભવ કરો. ઘી ન મળે તો લખ્યું ખાઓ છો તો આયંબિલ કરવામાં વાંધો શો ? બીમારી આવે ત્યારે પથારીમાં પડ્યા, તો તે વખતે રોવાથી શું ? હસીને ન વેદવું ? એ તો નવકાર ગણવાની ફુરસદ મળી. મહાત્માઓ આપત્કાળને મહોત્સવ માને છે. ખંધક મુનિની ખાલ ઉતારવા મારાઓ આવ્યા ત્યારે એમને પોતે ઉપકારી માન્યા. જે શરીરને તજવું હતું પણ તજાતું ન હતું તેના ત્યાગમાં સહાયક માન્યા. માટે તો એને પૂછે છે, “કે ભાઈ ! તું કહે તેમ ઊભો રહું કે જેથી તને તકલીફ ન થાય.' આ રીતે વસ્તુનો લાભ લેવાની એમનામાં બુદ્ધિ હતી.. દુનિયા ત્યાગી છે પણ રાગ માટે:
આખી દુનિયા ત્યાગી તો છે પણ તે રાગના માટે, જ્યારે શ્રી જિનેશ્વરદેવ તો વીતરાગ થવા માટે ત્યાગી બનવાનું ફરમાવે છે. કષ્ટ-ઉપસર્ગ તમને નથી ? ઘણાં છે. સાધુને તો પરિમિત છે. તમારા દુઃખની શાસ્ત્ર ગણના ન કરી. કેમ કે તે અપરિમિત છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેના તાપથી ચોવીસે કલાક તપેલાના સંતાપની ગણના થાય શી રીતે ? કલાક ચોવીસ પણ ચિંતા પચીસ કલાકની. શિયાળે ઠંડી લાગે, ઉનાળે ગરમી લાગે, ચોમાસે શરદી થઈ જાય એવી તમારી દશા છે. નવ્વાણું જણા સલામ ભરે એ નજરમાં ન આવે, પણ એક જણ ન ભરે એ મનમાં ખટક્યા કરે. કૈક માનતા હોય તે નજરે ન દેખાય.