________________
1731 - ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૪૩ દુઃખની કસોટીમાં ટકે તે ધર્મી. દુ:ખ અશુભોદયથી જ આવે છે. જેમ જેમ દુઃખ આવે તેમ ધર્મીનું નૂર ઝળકે. દુઃખ વખતે રૂએ એટલી એ આત્માના ધર્મીપણામાં ખામી. પુણ્યોદયે કોઈ ગાદીતકિયે બેસે એ બને. પણ ગાદીતકિયે બેસે તે ધર્મી અને રસ્તે આંટા મારવા પડે એ અધર્મી એમ ન મનાય . પુણ્ય એ કાંઈ ધર્મ નથી. આત્માનો ધર્મ તો અનંત જ્ઞાનાદિ છે, લક્ષ્મી તો એ ધર્મને બાધક છે. બે કરોડની મૂડી થાય એટલે આત્માનો વિકાસ થાય એમ ? વિકાસ તો ન થાય પણ ઊલટો અંધાપો આવે. જ્યાં આધિ, વ્યાધિ અને ઉપાધિ ઓછી ત્યાં ધર્મીપણું છે. આ નિશ્ચય વિના તો દરિદ્રતા ઊભી જ છે. પેલો બે કરોડ માટે ઝંખે છે તો બે કરોડવાળો બાવીસ કરોડ માટે ઝંખે છે. કહ્યું છે કે, “ોમેન રામ નીયતે” કેમ કે એક માત્રાહીન છે. લાભ કરતાં લોભમાં એક માત્રા વધારે છે. માટે લોભથી લાભ જિતાયો. જ્યાં સુધી લોભ ન છૂટે ત્યાં સુધી લાભ એ લાભ લાગતો નથી. લોભ રહે ત્યાં સુધી ગુણ એ ગુણ નથી : દુનિયા લોભસાગરમાં ડૂબી છે:
દુનિયા લોભસાગરમાં ડૂબી છે માટે એને જ્ઞાનીની ત્યાગની વાત ખટકે છે. “વસુ વિનાનો નર પશુ છે એમ કહેનારા નીતિકારો પણ અર્થકામના રસિયા છે. નીતિશાસ્ત્રમાં ધર્મની ભજના છે. જ્યારે ધર્મમાં નીતિનિયમો છે. શ્રીમાનો પણ જીવે છે તો દરિદ્રીઓથી જ. દરિદ્રી ન હોય તોશ્રીમંતો મર્યા પડ્યા છે, તેઓ એક કદમ ચાલી શકે તેમ નથી. દરિદ્રીની સહાય વિના તેમનાથી ન ઉઠાય, ન બેસાય, ન ચલાય એવી સ્થિતિ છે. મકાનમાં પણ પગમાં મોજાં કે જૂતાં પહેર્યા વગર એ રહી શકતા નથી. જમીન પર પગ મૂકે તો શરદી થઈ જાય એવી એમની હાલત છે. ઘાટી, રસોયા, ડ્રાઇવર, નોકર, ચાકર ન હોત તો એ શ્રીમાનોનું થાત શું ? ટાઇમસર ચાહ ન મળે તો એમનાં મગજ બહેર મારી જાય છે. વ્યસનોની ગુલામી એવી કે, સમયસર એ ચીજ ન મળે તો સંતાપનો પાર નહિ. રસોડામાં પણ એમની ધાંધલ ધમાલ ચાલુ. ખાવા-પીવામાંથી, પહેરવા-ઓઢવામાંથી અને હરવાફરવામાંથી એ પરવારતા જ નથી. મજૂરને પા અર્ધા કલાકેય શાંતિ ખરી, પણ શ્રીમાનને શાંતિનું સ્વપ્નયે નહિ. મજૂરને સીધી ઊંઘ આવી જાય. પણ શ્રીમંતને ઊંઘના વાંધા. સર્વજ્ઞ ભગવંતોએ તો છ ખંડના ચક્રવર્તીને પણ દરિદ્રી કહ્યા છે અને એમના મુકુટ ઉતરાવ્યા છે. ભિક્ષા માંગીને જીવનારા મહાત્માને ભગવાને ચક્રવર્તી કહ્યા છે. પ્રભુશાસનને પામેલા દરિદ્રી પણ સુખી છે, પ્રભુશાસનને નહિ પામેલા અબજોપતિ પણ સુખી નથી. પ્રભુશાસનને નહિ પામેલા અબજોપતિ કે દરિદ્રી બેય દુઃખી છે. આજના શ્રીમંતોની હાલત કફોડી છે. ઘરમાં એ રસોયા ને સ્ત્રીને હેરાન