________________
૫૪૦
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩
128 ગોળ ફેરવ્યા જ કરે, એનો છેડો આવે જ નહિ. કાળનાં પરિવર્તનો થાય, પણ એનો છેડો નથી. આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિ છે, સજ્જન અને દુર્જન, સત્ય અને અસત્ય, દિવસ અને રાત્રિ એ બધા અનાદિથી છે, છે ને છે. પેલા કહે છે કે, છેડો ન બતાવો તો તમે સર્વજ્ઞ શાના ? સર્વજ્ઞ જે ચીજ હોય તેવી જ બતાવે કે ન હોય તેવી પણ બતાવે ? કહે છે કે, દુનિયાના પદાર્થોની સંખ્યા ન કહી માટે એમનામાં જ્ઞાન નહિ. પણ એ મૂર્ખાઓને ખબર નથી કે સંખ્યા તો હોય તેની કહેવાય. વેપારી પણ સો, બસો, પાંચસો રોકડા આપવો હોય તો ગણે પણ લાખ રૂપિયા આપવા હોય તો કાં તો ચેક કે મોટી નોટો આપે અને રોકડા જ આપવા હોય તો તોલીને આપે. ગણવા બેસો તો સમય કેટલો જાય. ? પછી રૂપિયા જ ગણ્યા કરે તો ધંધો ક્યારે કરે ? પેઢી બંધ કરવી પડે. અનાજનાં માપ થાય, એના દાણાની ગણતરી ન થાય. માપવા યોગ્ય મપાય, ગણવા યોગ્ય ગણાય અને તોલવા યોગ્ય તોલાય. અનંતા પણ બે જાતનાં
કહે છે કે અનંતજ્ઞાની અનંત પણ કેમ ન ગણે ? ગણિત ગણનારા પણ પરાદ્ધ કહીને અટક્યા. એને પણ આખરે અપરિમિત કહેવું પડ્યું. વાણીમાં માપ આવે તો કહે ને ? અનંતા પણ બે જાતનાં. એક અનંત એવું કે જેનો અંત આવે અને એક અનંત એવું કે જેનો અંત નહિ. ચોખાની સંખ્યા છે પણ એ ગણાય નહિ, શેર, મણ કે ખાંડી એમ વજનથી જ વાત કરાય. જો અનંતનો અંત જ ન આવતો હોય તો “અનંતા પુદ્ગલ પરાવર્ત ગયા, અનંતો કાળ ગયો.” એમ કહીએ છીએ માટે અંત તો આવ્યો. “કાળ અનંતો છે” એમ કહીએ ત્યારે ત્યાં અંત ન આવે એવો અનંતો સમજવો. જેમ લાખના લાખ ભેદ, કરોડના કરોડભેદ, અબજના અબજ ભેદ, પરાદ્ધના પરાદ્ધ ભેદ તેમ અનંતના પણ અનંત ભેદ. અંતિમ અનંત માટે એમ કહેવાય કે એનો અંત નહિ. દુનિયા અનંત, ત્યાં અંત વિનાની દુનિયા એવો અર્થ ખરો. પણ સંસાર અનંત કહેવાય ત્યાં ભવિના સંસારનો અંત આવે, અવિના સંસારનો અંત ન આવે. અર્ધપુદ્ગલ પરાવર્તમાં પણ કાળ તો અનંતો પણ એનો અંત આવવાનો. અર્ધપુગલ પરાવર્તમાં કાળ અનંતો છતાં અનંતકાળની અપેક્ષાએ સ્વયંભૂરમણ સમુદ્ર પાસે ખાબોચિયા જેટલો સમજવો, એવા કેટલાય અર્ધપુદ્ગલ પરાવર્તવાળા મુક્તિમાં પહોંચી ગયા. જેવું શેય હોય એવું જુએ એ જ્ઞાની. જેવું સ્વરૂપ હોય એવું જુએ એ જ્ઞાની. કલ્પનાથી હોય, તેથી અધિક કહે એ જ્ઞાની નહિ. કલ્પના અજ્ઞાની કરે, પરિપૂર્ણ જ્ઞાનીને કલ્પના કરવી ન પડે. પરિપૂર્ણ જ્ઞાન થયા પછી ઇચ્છાનો અભાવ થાય છે.