________________
121 – ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૩૯ રાગ કૃત્રિમ છે, વિરાગ સ્વભાવ છે:
રાગ એ કૃત્રિમ છે અને વૈરાગ્ય એ આત્માનો સ્વભાવ છે. રાગ એ દોષ છે અને વૈરાગ્ય એ આત્માનો ગુણ છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી આત્મા સુખી નથી. સોનાનું શુદ્ધ સ્વરૂપ તો સો ટચનું પણ ખાણમાંથી નીકળ્યું ત્યારે તો માટીમાં મળેલું જ ને ? હીરા, માણેક ખાણમાંથી નીકળે ત્યારે તો પથરા જ લાગે, જ્યારે ઘસાય ત્યારે ચળકે. વિરાગ એ આત્માનું મૂળ સ્વરૂપ છે. કૃત્રિમ સ્વરૂપની પાછળ પડવું એમાં ડહાપણ કે મૂળ સ્વરૂપની પાછળ પડવામાં ડહાપણ ? જે જે ક્રિયા કરવાથી રાગ વધે એ મુક્તિમાર્ગ કે રાગ ઘટે એ મુક્તિમાર્ગ ? શ્રી જિનેશ્વરદેવ તો જે છે તે જ કહે છે, જ્યારે પેલા તો જે નથી તે કહે છે.
સભાઃ “શુદ્ધને કચરો ક્યારે લાગ્યો ?'
શુદ્ધ થાય તો તે મુક્તિમાં જાય પછી કચરાની વાત રહી જ ક્યાં ? શુદ્ધને જો કચરો લાગતો હોય તો સોનું વાપરવું નકામું છે. શુદ્ધ થયા પછી અશુદ્ધ બને જ શાનો ? અનાદિસિદ્ધ વસ્તુમાં જ પ્રશ્ન ન થાય. જગતના કર્તા ઈશ્વર માનનારને પણ ઈશ્વરને તો અનાદિ માનવા જ પડે. શ્રી જિનેશ્વરદેવે પોતાના અનંતજ્ઞાનથી વસ્તુ હતી તેવી જઈ માટે રાગ દ્વેષ તજવાનું કહ્યું, ઘરબાર, કુટુંબ પરિવાર તજવાનું કહ્યું. એમણે જોયું કે એ બધું કાંઈ આત્મસ્વરૂપ નથી. પણ આત્મસ્વરૂપમાં બાધક છે. માટે એ તજવાનો તથા વિરાગી બનવાનો ઉપદેશ આપ્યો. કારીગરના હાથમાં ખાણમાંથી નીકળેલું સોનું તે વખતે દેખાતી માટી રૂપે આવે, પણ તે તેને ઓળખી જાય એટલે એ માટી હાથ ધોવા ન આપે, પણ મહેનત કરીને તેમાંથી સોનું કાઢે.' આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિઃ
આત્મા અને જડ, એ બેનો સંયોગ અનાદિ છે. અનાદિસિદ્ધ વસ્તુ માટે પ્રશ્નો પ્રશ્નકોટિની બહાર મૂક્યા. દુનિયા લાલપીળી છે એમ દેખતો કહે, પણ આંધળો તો એને ગપ્પીદાસ જ માને. એને આંખ જ ન હોવાથી બધું કાળું જ દેખાય. કાળું પણ એ જોઈ શકતો નથી. પણ કાંઈ નથી દેખાતું, અંધારું જ છે માટે કાળું કહે છે. એ આંધળો જે નથી તે જુએ છે. કેમ કે એને આંખ નથી. એ રીતે અનાદિ પ્રશ્નોની વાત સમજવી. ચૂડીનો છેડો કોઈ બતાવવાનું કહે તો બતાવાતો નથી. છે જ નહિ તો બતાવાય ક્યાંથી ? બે વાદીને ચર્ચા થઈ. કોનો ધર્મ પહેલો ! એ સાબિત કરવા એક લાવ્યો સૂતરની કોકડી ને બીજો લાવ્યો ચૂડી. સૂતરની કોકડી ઉકેલતાં દોરો લાંબો તો ઘણો થયો. પણ એનો છેડો તો ખરો જ. ચૂડી નાની પણ