SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ 121 – ૩૫ આત્માના સ્વભાવ-વિભાવની સાચી ઓળખ -115 - ૫૩૯ રાગ કૃત્રિમ છે, વિરાગ સ્વભાવ છે: રાગ એ કૃત્રિમ છે અને વૈરાગ્ય એ આત્માનો સ્વભાવ છે. રાગ એ દોષ છે અને વૈરાગ્ય એ આત્માનો ગુણ છે. જ્યાં સુધી રાગ છે ત્યાં સુધી આત્મા સુખી નથી. સોનાનું શુદ્ધ સ્વરૂપ તો સો ટચનું પણ ખાણમાંથી નીકળ્યું ત્યારે તો માટીમાં મળેલું જ ને ? હીરા, માણેક ખાણમાંથી નીકળે ત્યારે તો પથરા જ લાગે, જ્યારે ઘસાય ત્યારે ચળકે. વિરાગ એ આત્માનું મૂળ સ્વરૂપ છે. કૃત્રિમ સ્વરૂપની પાછળ પડવું એમાં ડહાપણ કે મૂળ સ્વરૂપની પાછળ પડવામાં ડહાપણ ? જે જે ક્રિયા કરવાથી રાગ વધે એ મુક્તિમાર્ગ કે રાગ ઘટે એ મુક્તિમાર્ગ ? શ્રી જિનેશ્વરદેવ તો જે છે તે જ કહે છે, જ્યારે પેલા તો જે નથી તે કહે છે. સભાઃ “શુદ્ધને કચરો ક્યારે લાગ્યો ?' શુદ્ધ થાય તો તે મુક્તિમાં જાય પછી કચરાની વાત રહી જ ક્યાં ? શુદ્ધને જો કચરો લાગતો હોય તો સોનું વાપરવું નકામું છે. શુદ્ધ થયા પછી અશુદ્ધ બને જ શાનો ? અનાદિસિદ્ધ વસ્તુમાં જ પ્રશ્ન ન થાય. જગતના કર્તા ઈશ્વર માનનારને પણ ઈશ્વરને તો અનાદિ માનવા જ પડે. શ્રી જિનેશ્વરદેવે પોતાના અનંતજ્ઞાનથી વસ્તુ હતી તેવી જઈ માટે રાગ દ્વેષ તજવાનું કહ્યું, ઘરબાર, કુટુંબ પરિવાર તજવાનું કહ્યું. એમણે જોયું કે એ બધું કાંઈ આત્મસ્વરૂપ નથી. પણ આત્મસ્વરૂપમાં બાધક છે. માટે એ તજવાનો તથા વિરાગી બનવાનો ઉપદેશ આપ્યો. કારીગરના હાથમાં ખાણમાંથી નીકળેલું સોનું તે વખતે દેખાતી માટી રૂપે આવે, પણ તે તેને ઓળખી જાય એટલે એ માટી હાથ ધોવા ન આપે, પણ મહેનત કરીને તેમાંથી સોનું કાઢે.' આત્મા, જડ અને એ બેનો સંયોગ અનાદિઃ આત્મા અને જડ, એ બેનો સંયોગ અનાદિ છે. અનાદિસિદ્ધ વસ્તુ માટે પ્રશ્નો પ્રશ્નકોટિની બહાર મૂક્યા. દુનિયા લાલપીળી છે એમ દેખતો કહે, પણ આંધળો તો એને ગપ્પીદાસ જ માને. એને આંખ જ ન હોવાથી બધું કાળું જ દેખાય. કાળું પણ એ જોઈ શકતો નથી. પણ કાંઈ નથી દેખાતું, અંધારું જ છે માટે કાળું કહે છે. એ આંધળો જે નથી તે જુએ છે. કેમ કે એને આંખ નથી. એ રીતે અનાદિ પ્રશ્નોની વાત સમજવી. ચૂડીનો છેડો કોઈ બતાવવાનું કહે તો બતાવાતો નથી. છે જ નહિ તો બતાવાય ક્યાંથી ? બે વાદીને ચર્ચા થઈ. કોનો ધર્મ પહેલો ! એ સાબિત કરવા એક લાવ્યો સૂતરની કોકડી ને બીજો લાવ્યો ચૂડી. સૂતરની કોકડી ઉકેલતાં દોરો લાંબો તો ઘણો થયો. પણ એનો છેડો તો ખરો જ. ચૂડી નાની પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy