________________
–
1722
૫૩૪
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ વીસમી સદીના કોઈ પણ ચાળે ચડવા જેવું નથી ?
“દુનિયાને નવું શું આપ્યું ?” એવાં એમનાં વેણ સાંભળી તમે નવું કહેવાના નાદે ન ચઢતા. જો એવું થયું તો બે-ચાર વર્ષે તમે પણ એમના જેવા થઈ જશો. વીસમી સદીના એક પણ ચાળે ચઢવા જેવું નથી. આ શાસનમાં બહુમતી ચાલે નહિ, અહીં તો શાસ્ત્રમતિ જ ચાલે. મહાત્મા શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે, “આગ્રહીઓ જ્યાં પોતાની મતિ ત્યાં યુક્તિને ખેંચી જાય છે,
જ્યારે જ્ઞાનીઓ જ્યાં યુક્તિ છે ત્યાં પોતાની મતિને લઈ જાય છે.' જે વસ્તુ માન્ય છે (આગમો) ત્યાં મત શા ? અમાન્ય માટે મત હોઈ શકે. ભાંગફોડ કરવાનું કામ અમારું નથી'?
એ લોકો સમજે છે કે આ શાસનપ્રેમીઓ આગમને જ માનવાવાળા છે અને કાંઈ નવું નથી બોલવાના. છતાં એટલી ટીકા પત્રિકામાં ઇરાદાપૂર્વક લખી છે. એવા લખાણથી તમે કાંઈ પણ નવું કરો તો તમારી છાતી પર ચઢી બેસવા થાય, એ જ એમનો ઇરાદો. એમનું વાંચીને ગભરાતા નહિ. તમારે તો આવતે વર્ષે એ જ પડકાર કરવાનો કે “કેટલાક અમને વગર માંગે નવું કરવાની સલાહ આપે છે. પણ ભાંગફોડ કરવાનું તથા નવું કરવાનું કામ એમનું છે, અમારું નહિ.' સ્વાર્થીઓથી સેવા ન થાય?
પાપ તથા માપ બદલાતાં નથી. પાપ કદી પુણ્ય ન થાય. પાપને છઠે આરે પુણ્ય મનાય ? તો તો એ વખતે જન્મવું સારું ને ?
સભાઃ “એ લોકો તો હવે દેશસેવા કરવાના છે.”
કોઈની પણ સેવા (અસેવા નહિ) કરે એમાં કોઈને વાંધો ન હોય. શાસનને ડહોળવા કરતાં, સાધુઓને કનડવા કરતાં, આગમોને ભાંડવા કરતાં, એવાં કોઈ કામમાં જોડાય તો વાંધો નથી. એ નવરા ન પડે તો આફત ઓછી. પેલા ભૂતની વાત તો તમે જાણો છો ને ? એક વાણિયા પાસે ભૂત કામ માંગતું આવ્યું અને કામ ન મળે તો તેને ખાઈ જવાની બીક બતાવી. પેલા વાણિયાએ એને કહી દીધું કે હું બતાવું ત્યારે કામ કરવું અને કામ ન બતાવું ત્યારે આ થાંભલા ઉપર ચડ-ઊતર કર્યા કરવી ! આ રીતે વાણિયાએ પાપ ટાળ્યું. એ જ રીતે એ પુણ્યવાનો કોઈની પણ સેવા (અસેવા નહિ) કરતા હોય, કોઈનું પણ ભલું કરતા હોય તો વાંધો નથી. પણ સ્વાર્થીઓથી સેવા ન થાય. “ચડ જા બેટા શૂળીએ” એવી નીતિવાળાથી સેવા ન થાય. એ લોકો-દાવ જોઈને કામ કરે. પોતાને માનપાન મળે, ખુરશી, ટેબલ મળે, આગેવાની મળે, પોતાના