SearchBrowseAboutContactDonate
Page Preview
Page 549
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ - 116 ખોટી દાનત રહેલી છે. મુંબઈમાં ફુટપાથ પર ઘણા સૂવે છે તો એમને તમારા ખાલી દીવાનખાનામાં કેમ નથી સુવાડતા ? પેઢીમાં માણસ ઘણા હોય પણ તેમાં અમુક જ પેઢીમાં સૂવે. જ્યારે બીજાને તો બહાર જ સૂવું પડે. ઉપાશ્રયો કોના માટે ? “નિશીહિ'નો મર્મ સમજનારા માટે. જેનામાં એ લાયકાત ન હોય તે ન આવે. “નિસીહિ'ની પ્રતિજ્ઞા કરે તે અહીં આવે. તમે તો “નિસીહિ'ને ઘોળીને પી ગયા છો. નહિ તો મંદિર તથા ઉપાશ્રયમાં બીજી પંચાત હોય જ શાની ? હૈયામાંથી શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનો અંકુશ જતો રહ્યો છે માટે આ હાલત થઈ છે. દેવ જેવા હાથીને પણ અંકુશ વિના ન રખાય. આ તો ફાવે તો ‘નિસીહિ' બોલે, એકી સાથે ત્રણ વાર પણ બોલે છતાં બીજી-બીજી વાતો ચલાવ્યા કરે. બાઈઓ ભગવાનની સામે ઊભી રહીને ભગવાનની સાક્ષીએ જ ખાસ્સી મજેની, ઘરની વાતો કરે અને બીજાને ચૈત્યવંદનાદિમાં અંતરાય કરે, કેમ કે, સ્થાનનો એમને ખ્યાલ જ નથી. તે સભાઃ “નિયમોનાં ચોપાનિયાં ચોઢવાં જોઈએ.” નિયમો શાસ્ત્ર ઘડેલા છે, છપાવનારે છપાવ્યા છે, મંદિરમાં ચોડ્યા છે. પરંતુ તેય વાંચનારાઓએ ફાડી નાંખ્યા. તેઓ કહે છે કે આ બધી શી પંચાત ? આ બનેલી વાત છે. ઠોઠ નિશાળિયો વરસમાં ચાર ચોપડી ફાડે તોય એવો ને એવો ડોબા જેવો જ રહે. ધર્મ ફળે શી રીતે ? | મુખકોશ કેમ બંધાય, ધૂપ કેમ થાય, આશાતના કઈ કઈ, એ બધું પેલાં ચોપાનિયાંમાં જણાવેલું હતું. પણ તે તો ફાડી નાંખ્યાં. લોકો ધૂપ પ્રભુના મોં સુધી લઈ જાય છે, અગરબત્તી ફોટાને અડાડે છે. સારું છે કે કાચ હોય છે એટલે બીજો વાંધો નથી આવતો. આવી અક્કલવાળાને શું સમજાવવું ? ત્રણ જગતના નાથને જરા ઓળખો. ભગવાનને તિલક એવી–રીતે કરો કે માત્ર કેસર જ ભગવાનને અડે. નખ તો નહિ પણ શક્ય હોય ત્યાં સુધી આંગળી પણ નહિ. મૂર્તિને માથેથી કે ગળચીથી પકડે. સિદ્ધચક્રજીની એક પર એક એમ થપ્પી કરે, ભીના અંગલૂછણા ભગવાન પર મૂકી રાખે, આવું જ્યારે શ્રાવકો પોતે જ કરે પછી એ પૂજારી સારા લાવવાની વાત કયા મોઢે કરતા હશે ? તમે જેટલી આડતિયાની ખાતર બરદાસ કરો છો તેટલી પ્રભુજીની મૂર્તિની નથી કરતા. માબાપ પોતાના બાળકને જેટલું સાચવે એટલું પૂજા કરનારા ભગવાનની મૂર્તિને નથી સાચવતાં, માટે ધર્મ કરતા છતાં દીનતા નથી જતી. ધર્મ ફળે શી રીતે ? ધર્મ કદી દીન ન હોય. લક્ષ્મીને બીજો માનનાર લક્ષ્મીના અભાવમાં કદી
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy