SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ 1717 –૩૪ સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં -114- ૫૨૯ રૂવે ખરો ? અને એવો સત્ત્વશીલ હોય તેને ત્યાં તો નિધાન નીકળે. જે ભાવનાથી કેવળજ્ઞાન થાય તે ભાવનાથી નિધાન નીકળે એમાં શી મોટી વાત છે ? ધનાજીનું ચરિત્ર જાણો છો ને ! ધર્મી કદી પૈસા માટે પોક ન મૂકેઃ ધનાજીના ત્રણ ભાઈઓ ભાગ માટે ઝઘડતા હતા ત્યારે પિતાએ એમને કહ્યું કે, “આ બધું તો ધનાજીના ભાગ્યથી છે, તમે નકામા ઝઘડા શું કામ કરો છો ?' પણ એ તો લડતા જ રહ્યા ત્યારે ધનાજીએ પોતાના ભાઈઓને આ રીતે ક્લેશ થતો જાણી પોતે રાતોરાત ત્યાંથી ચાલી નીકળ્યા. એ જ્યાં જાય ત્યાં લક્ષ્મીના ઢગલા એમની પાસે થઈ જતા. રસ્તે જતાં ખેતરમાં ખેતી કરતા ખેડૂતે રોટલા ખાવા આમંત્રણ કર્યું તો ખેડૂતનું પણ કામ કરીને પછી ખાવું એમ વિચારી તેના હળથી ખેતર ખેડવા માંડ્યું તો જમીનમાંથી નિધાન નીકળ્યું. ખેડૂત ધનાજીને એ લેવા માટે કહે છે. કારણ કે, ધનાજીના ભાગ્યે જ નીકળ્યું છે એમ એ માને છે. ધનાજી ખેડૂતને કહે છે કે તારી જમીનમાંથી નીકળ્યું માટે એ તારું છે, મારે ન લેવાય. જે ધર્મથી કેવળજ્ઞાન મળે એ ધર્મથી નિધાન મળે એમાં નવાઈ શી ? પણ ધર્મી કદી પૈસા માટે પોક મૂકે ? આજે આ બધી વાતો તમારી પાસે કરીએ. પણ તમને એની અસર થતી નથી. કેમ કે, તમે નઘરોળ જેવા બની ગયા છો. ગમે તેટલી વાત કરો, પણ જેને અસર જ ન થાય તે નઘરોળ કહેવાય. આજે તો ધર્મસ્થાનોની મર્યાદા ભુલાતી જાય છે. ઘરની કે બજારની વાતો મંદિર ઉપાશ્રયમાં થાય ? હવે તો કેટલાકો છાપાં પણ લઈને અહીં આવવા લાગ્યા છે. સભાઃ “સામાયિકમાં છાપાં વાંચે છે.' જેટલું નહિ કરો તેટલું ઓછું. અનંતજ્ઞાનીના સેવકોની આ દશા હોય ? દુનિયાની સાહ્યબી, મળી એટલે પતી ગયું ? ધર્મ પાસે દુનિયાનું સઘળું તુચ્છ માનવું જોઈએ. એ ભાવના આવે તો આવા પ્રશ્નો નહિ ઊઠે. ભાવના વિપરીત છે માટે આ બધા પ્રશ્નો ઊઠે છે. વીસમી સદીના એક પણ ચાળે ચઢવા જેવું નથી. એક પણ કુટેવ પેસવા ન દો. બહુમતી કે લઘુમતીની પંચાતમાં ન પડો. વોટની વાતોથી દૂર જ રહો. ધર્મક્રિયા માટે વોટ લો તો કેટલા મળે ? ઉપરથી એમ કહે છે કે, “વીસમી સદીમાં આવી બધી ઘેલછા ? ધર્મઘેલાં ન બનો. સામાયિક, પૂજા ને ટીલાટપકાંના ટાહ્યલાં બધાં જવા દો' આવાઓના અભિપ્રાય ધર્મક્રિયામાં ચાલે ? દીક્ષાની બાબતમાં વય વગેરેના અનેક વાંધા એવા કાઢે કે માણસ મસાણે પહોંચે ત્યારે જ દીક્ષાને યોગ્ય માને; ત્યાં પણ જીવતો થાય તો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy