________________
1715 —૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં – 114 – ભગવાનને કશાની જરૂર નથી :
મંદિર કે મૂર્તિ તમે ભગવાન માટે કરો છો કે તમારા માટે ? પૈસાટકા, આંગી વગેરે તમામ તમે તમારા માટે કરો છો, નહિ કે ભગવાન માટે, મંદિર, મૂર્તિ, પૂજા, અંગ૨ચના વગેરે જો ભગવાન માટે તમે કરતા હો તો ન કરતા. ભગવાન કાંઈ જ માંગતા નથી. એમને એ કશાની જરૂર જ નથી. આત્મા માટે જ જો કરતા હો તો ત્યાં એક પણ પ્રશ્ન રહેતો નથી. ભગવાનની સેવામાં અર્પણ કરાયેલી ચીજથી આત્માનો નિસ્તાર માન્યો છે માટે ચીજ ત્યાં મુકાય છે; અને માટે જ એ ત્યાં સમર્પણ કરેલી ચીજ બીજે ન વપરાય એવો આગ્રહ છે. શ્રી જિનેશ્વરદેવ માટે તમે મૂકતા હો તો વહીવટદાર તમે તમારા કેમ નીમ્યા ? તમારે તો મૂકીને ચાલ્યા જવું જોઈતું હતું. એમણે એ બધાનો ત્યાગ કરેલો છે. વળી તમે તો છોડી છોડીને કેટલું છોડવાના ? બહુ બહુ તો લાખ બે લાખનો મુગટ પહેરાવો. પણ એમના મુગટમાં તો કરોડોના હીરા માણેક હતા. ઇંદ્રો તો એમની સેવામાં હતા. એમણે તો એ બધું છોડ્યું છે.
આજના લોકોની વાત ન્યારી છે
તમે કેસ૨-ચંદન વગેરે ભગવાન માટે લાવતા હો અને પૂજા પણ એમના માટે જ કરતા હો તો ન કરતા. દેવગુરુની ભક્તિ કરવી યોગ્ય લાગે, તારક લાગે તો કરજો. ‘અમારી ભક્તિ વિના દેવ દૂબળા થઈ જશે અને ગુરુ જીવશે નહિ’ એ રીતે કરશો તો એ ભક્તિ નથી. પણ આશાતના છે. શ્રી જિનેશ્વરદેવ મંદિરમાં બેઠા માટે એ જિનમંદિર કહેવાય. પણ મંદિર તો જૈનોનું. પ્રભુ એમની મેળે આવીને નથી બેઠા, પણ તમે બેસાડ્યા માટે બેઠા. તમે જે ક્રિયા તમારા માટે કરો છો એનો આરોપ પ્રભુ પર કેમ કરો છો ? આજના લોકોની વાત ન્યારી છે. તમે મુગટ ચઢાવો એમાં પ્રભુને પરિગ્રહ વળગે ખરો ? શ્રી જિનેશ્વરદેવની ભક્તિ શા માટે, એ નથી સમજ્યા તેની આ બધી પંચાત છે. આજની દલીલોના ગર્ભમાં ખોટી દાનત રહેલી છેઃ
૫૨૭
જો મકાન ખાલી છે માટે બીજા કામમાં વપરાય તો તમારી ઑફિસના ખાલી ભાગમાં કોથળા કેમ નથી ભરતા ? એને માટે વખાર જુદી શા માટે ? ધર્મને ભૂલ્યા માટે એ બધા વિચારો આવે છે. વળી ધર્મ ભૂલ્યા માટે તો મકાન ખાલી છે. બધા આવશ્યક ક્રિયા કરતા હોત તો ઉપાશ્રયો ખાલી જ ન હોત, કેમ કે મુંબઈમાં રહેવાની ઓરડીઓ નાની છે. ધર્મી ધર્મ ભૂલે તેથી ખાલી રહેતા મકાનમાં કાંઈ અધર્મીઓને પેસવા ન જ દેવાય. આજની દલીલોના ગર્ભમાં