SearchBrowseAboutContactDonate
Page Preview
Page 544
Loading...
Download File
Download File
Page Text
________________ 1711 –૩૪: સંઘની ઓળખ, સૂરિપુરંદર શ્રી હરિભદ્ર સૂ.મ.ના શબ્દોમાં -114– પ૨૩ તેમ ચાલે. આવા લોકો આજ્ઞાથી ગયા. એવાઓ ઘણા હોય તો પણ એમને સંઘ ન કહેવાનું આ મહાત્મા ફરમાવે છે. તેઓશ્રી કહે છે કે, એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા ભલે હોય પણે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં હોય તે સંઘ, આજ્ઞાથી બહાર હજારો કે લાખો હોય તો તે નકામા. પ્રભુના શાસનમાં બહુમતીવાદ નથી. બહુમતીવાદ તો આજના કહેવાતા સુધારેલા યુગની પેદાશ છે. વીસમી સદીના એક પણ ચાળાને અડતા નહિ, કેમ કે એનો ચેપ લાગે છે. સાચી વાત બધાને ગમતી નથી. આ રજોહરણ સાચો છે, પણ તે ગમે કેટલાને ? બધાને ન ગમે માટે એની વાત કરવી બંધ કરાય ? તમને ગમે એવું જ કહેવા સાધુઓ બંધાયેલા નથી. કયા વિષય પર વ્યાખ્યાન વાંચવું એ અંગે તમારો મત રોજ અમારે લેવાનો ? જેઓને આ વીસમી સદીનો બહુમતીનો ચેપ લાગે છે તેઓ સદ્ભાવના હારી જાય છે. એવા ઘણા હોય તો પણ એને સંઘ ન મનાય. બહુમતી કોની ? જૈનશાસનમાં બહુમતી ગીતાર્થ, સમજદાર તથા માર્ગના જ્ઞાતાની છે. અજ્ઞાનોની બહુમતી કોઈ કાળે ન ગણાય. પ્રમાદી ઘણા હોય એ બને. પણ પ્રમાદને ભૂંડો માને એ જ સાતમા ગુણઠાણાને સારું કહી શકે. પ્રમાદને પણ જરૂરી માને તો જેને નવો ચીલો પાડવો હોય એની વાત એ જાણે પણ જે રેલગાડીએ નિશ્ચિત પાટા પર ચાલવું હોય એણે તો પાટા પર ટિચાઈ પડાય એવી વસ્તુ ત્યાં નથી ને એ જ જોવાનું. હોય તો તેને દૂર ખસેડી નાખવી. ' દેવાદિ દ્રવ્યનું ભક્ષણ અનેક રીતે થાય છે: જેને આજ્ઞાની કિંમત નથી એવા મોક્ષમાર્ગના વૈરીને સંઘ તરીકે ના ઓળખાવાય. વળી આગળ વધીને કહે છે કે, દેવાદિ દ્રવ્યનું ભક્ષણ કરવામાં તત્પર હોય તેને પણ સંઘમાં ન ગણાય. આદિ શબ્દથી સાધારણ દ્રવ્ય પણ આવી ગયું. દેવાદિ દ્રવ્યનું ભક્ષણ ખાવાથી જ થાય છે એમ ન માનવું. અનેક રીતે ભક્ષણ થાય છે. અમુક રકમ બોલ્યા કે તે જ વખતે આપી દેવાની વિધિ છે. આપવાના કહ્યા એટલે એ દ્રવ્ય પરથી માલિકી ગઈ. બેંકમાં નાણાં મૂકો કે વ્યાજ શરૂ થાય. મૂક્યા પહેલાં કોઈ જમે પણ ન કરે. અહીં પણ આપ્યા કહ્યા પછી માલિકી જાય છે. એને બદલે આજે તો ઉઘરાણી કરવા છતાં મહિનાઓ સુધી પૈસા ન ભરે એ શું બતાવે છે ? વહીવટદાર યાદ ન કરે તો વર્ષો પણ ચાલ્યાં જાય. આમાં વ્યાજભક્ષણનો દોષ લાગે છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy