SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ 11. ૩ : એવાઓથી સાવધાન રહેજે ! - 83. - તત્ત્વની જિજ્ઞાસા વિના શ્રવણ ફળતું નથી ? તમે ચોવીસે કલાક ઇંદ્રિયોને જીતવાની કાર્યવાહી કરો છો કે તેને પોષવાની ? કહો કે ચોવીસે કલાક પોષણક્રિયા જ ચાલુ છે. સભા: “આ એક-બે કલાક બાદ થાય.” તે પણ ક્યારે થાય ? એવી ભાવનાથી શ્રવણ થતું હોય તો ! તત્ત્વજ્ઞાનના શ્રવણ પણ આજકાલ ઘણાએ શોખનું સાધન બનાવ્યું છે. તત્ત્વની ઝીણી વાત કરું તો કોઈ નહિ બેસે. તત્ત્વબુભક્ષા હોવી જોઈએ તે નથી. એ હોય તો જેમ જેમ ઝીણી વાત આવે તેમ તેમ આત્મા એમાં એકાકાર થતો જાય. આજે તો સાંભળનારા ઊઠી ઊઠીને ચાલવા ન માંડે એની કાળજી વક્તાએ રાખવી પડે એવી હાલત છે. પૂજામાં જો ગવૈયો સારો હોય તો ઘણા આવે. ઠીક છે. ગવૈયા પણ સારા હોય કે સાધનો સારાં મેળવવા એ વિધિ છે પણ કદાચ ગવૈયો ન હોય તો પણ એ ભગવાનની પૂજા નથી. ? છે જ. શબ્દો તો એ જ છે પણ કાનને મજા નથી આવતી. ત્યારે કહેવું પડે કે પૂજાના પ્રેમ કરતાં સંગીતનો પ્રેમ વધારે છે. ગવૈયો સારું સંગીત પીરસે અને કોઈ જ્ઞાની પૂજાના ભાવ સાર સમજાવે તો તમને વધારે આનંદ ક્યાં આવે ? તત્ત્વજ્ઞાનનો રસ હૈયામાં જાગ્રત નથી થયો તે થવો જોઈએ. તત્ત્વની ઇચ્છ ન થાય ત્યાં સુધી શ્રવણ ફળતું નથી. ધર્મી તરીકે ઓળખાનારાની જવાબદારી . આ મહાપુરુષની પહેલી વાત એ છે કે-ભવનો ભય ન હોય અને મોક્ષની ઇચ્છા ન હોય, ત્યાં સુધી અમે કહેવા માગીએ છીએ તે વાત ગમવાની નથી. ઇંદ્રિયોનું દમન કરવાનું અને મન ઉપર અંકુશ રાખવાનું ભાગ્યવાન વિના કોને ગમે ? આ વાત શબ્દોમાં બહુ સારી લાગે પણ આચરણમાં બહુ કઠોર લાગે તેવી છે. શ્રી જિનેશ્વરદેવના શાસનનું ચારિત્ર જેમ કઠિન છે તેમ સમ્યક્ત પણ સહેલું નથી. ચારિત્રમાં અમલ છે તો અહિ પણ ભાવના તો છે ને ? બધા અયોગ્ય સંસર્ગોથી છુટાય ત્યારે જેમ અમલ થાય તેમ બધી કુવાસનાઓ નાશ પામે ત્યારે ભાવના જાગે અને ટકે. વળી સમ્યકત્વની પણ અમુક કરણી તો નિયત છે જ. શાહુકાર ગણાતાની અમુક જોખમદારી તો નિયત છે જ. એ સ્વીકારે કે ન સ્વીકારે પણ એ જોખમદારી નિભાવ્યા વિના એનો છૂટકો જ નહિ. ઘરનો ગમે તે માણસ ખોટું કામ કરી આવે તો પણ નામ તો એનું જ બગડે. ફલાણના છોકરાએ આમ કર્યું, એમ તો કહેવાય જ. પેલો કહે કે-“હું તો
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy