SearchBrowseAboutContactDonate
Page Preview
Page 534
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૩ 1701 ૩૩ : શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી – 113 વિકૃતિ થાય છે, રોગો પેદા થાય છે માટે એના ત્યાગની વાત તેઓ કરે છે. લોકોને એના ત્યાગ માટે શરીરના આરોગ્યની વાત આગળ ધરવામાં આવે છે. એમની પાસે આત્માની મલિનતાની વાત કરો તો એને એ હમ્બગ માનશે. પાપ પુણ્યની વાતો તો આ આર્યદેશમાં જ ચાલે છે. મને કે કમને જ્યાં ‘ધર્મ' શબ્દ સંભળાય તે આ આર્યદેશ છે. ઠામ્ ઠામ ધર્મની વાત અહીં જ સાંભળવા મળે. આ આર્યદેશનો કસાઈ પંચેન્દ્રિયની કતલ કરવા છતાં પણ આંગણે આવેલા કૂતરાને રોટલો નાંખવામાં પાપ ન માને પણ ધર્મ માને. પોતાના ધંધાને પણ એ પેટ માટે કરવો પડે છે એમ માને. આંગણે આવેલો કૂતરો મૂર્ચ્છિત થાય તો આર્યદેશનો કસાઈ એને પાણી છાંટે છે. આર્યદેશનો એ ગુણ છે. અહીંનો કસાઈ અને અનાર્યદેશનો ઊંચો ગણાતો માણસ એ બેને સાથે ઊભા નહિ રખાય. આર્યદેશમાં દયાના સંસ્કારો રૂઢ છે. આ દેશમાં દરેકને દયા આવે જ. પશ્ચિમની તમામ પ્રવૃત્તિ શરીર માટે છે. ―― સભા ત્યાં પણ દેવ, ગુરુ, ધર્મ મનાય છે !’ મોટો માણસ માનીને એને દેવ માનવામાં આવે છે. ત્યાં આત્મતત્ત્વનો વિચાર સરખો પણ નથી. “દુર્વાતો પ્રવતત્ પ્રાની, ઘરનાદ્ધર્મ ગુ~તે” - દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણા કરી રાખે તે ધર્મ, એ માન્યતા ત્યાં છે જ નહિ. અહીં તો દેવ, ગુરુ, આગમ એ બધાને માનવા તે ધર્મ માટે છે. ધર્મ આત્માના બચાવ માટે છે, આત્માની શુદ્ધિ માટે છે. ધર્મને શુદ્ધ બનાવનાર દેવ, ગુરુ તથા આગમ છે. ચાંલ્લો કરવો એ ધર્મ નથી, પણ ધર્મનું સાધન છે, સૂત્રો એ પણ સાધન છે, સાધુ પણ સાધન છે અને શ્રી જિનેશ્વરદેવ પણ સાધન છે. ધર્મ તો બીજી જ વસ્તુ છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીએ છીએ. કારણથી કાર્ય પેદા થાય છે માટે આરોપ કરીને એને ધર્મ કહીએ છીએ. આત્માનો ધર્મ તો અનંતદર્શન, જ્ઞાન, ચારિત્ર, વીર્ય તથા સુખ છે. એ ધર્મ દબાયેલો છે. તેને પ્રગટ કરવા માટે આ બધો ધર્મ છે. તિલક કરવું કે દાન દેવું એ બધાં કેવળ સાધન છે. સંપૂર્ણપણે એ પરિણમે તો એનાથી આત્મસ્વરૂપ પ્રગટ થાય. જ્યાં સુધી આત્મસ્વરૂપ સંપૂર્ણતયા પ્રગટ ન થાય ત્યાં સુધી એ આત્મા બધું કરે. એક પણ યોગની એ આત્મા અવગણના ન કરે. કોઈ આત્મા પૂજા ન કરતો હોય અને દાન દેતાં દેતાં મુનિના સ્વરૂપને ઓળખી જાય, શુભ ભાવનામાં ચઢી જાય અને ક્ષપકશ્રેણી માંડે તો પણ એ યોગે એને કેવળજ્ઞાન થઈ જાય. પૂજા તો નહોતો કરતો ને એને કેવળજ્ઞાન કેમ થયું ? એ ન પુછાય. અસંખ્યાત યોગમાંથી એકની પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy