________________
૫૧૦ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 1998 જૈનશાસનનું પચ્ચકખાણ સહેલું નથી, કઠિન છે. જેના ત્યાગનું પચ્ચખાણ કર્યું તે ચીજ હૈયેથી કાઢવી પડે, પૂર્વે તે કર્યા બદલ રોજ માફી માંગવી પડે, હૃદયથી રોજ પશ્ચાત્તાપ ચાલુ હોય. માટે સૂત્રમાં કહ્યું કે, “તસ અંતે પરિવાર નિવામિ રિમિ સખા વોસિરામિ ' નિંદા કરવી પડે, ગહ કરવી પડે અને પાપ વિશિષ્ટ આત્માનો ત્યાગ કરવો પડે. આજે તો વાતવાતમાં ‘પચ્ચકખાણ ભાંગી જાય તો ?' એ વાત આવીને ઊભી રહે છે. એનું કારણ કે કરેલું પાપ પાપરૂપે હજી સમજાયું નથી. હજી એ પાપનો સાચો પસ્તાવો થયોં નથી. જે ક્રિયા હૈયાને બાળે તે ફરીને કરવાનું મન થાય ? ને જ થાય. દઢ પ્રહારીનો દીક્ષા પછી એ અભિગ્રહ હતો કે પોતે કરેલાં પાપ પોતાની મેળે કે કોઈના કહેવાથી પણ યાદ આવે તો તે દિવસે આહાર પાણી ન લેવાં. કેવો કઠોર અભિગ્રહ ! આવા ઘાતકીને જોઈને લોકો બોલ્યા વિના રહે ? બરાબર છ મહિના સુધી આહાર પાણી ન કર્યો અને છઠું મહિને કેવળજ્ઞાન થયું. લીધેલા નિયમ ભુલાય કેમ?
પોતે પૂર્વે કર્યું તે ખોટું સમજાય તો નિયમ ભાંગવાની ચિંતા હોય ? તીવ્ર કર્મોદયે ઠોકર લાગે તે વાત જુદી. આત્મા બેહોશ બને ત્યારે એવું બને એ સંતવ્ય, બાકી ભુલાય શી રીતે ? આપેલા પાંચ રૂપિયા બરાબર યાદ કરી પાછા લેવાય છે. એ ભુલાતા નથી, તો લેવાયેલા નિયમ પાળતી વખતે ભુલાય કેમ ? એ પુરવાર કરે છે કે પૈસા પ્રત્યે જેટલો પ્રેમ છે તેટલો પ્રેમ પચ્ચકખાણ પ્રત્યે નથી. પૈસા જવાથી જે શોક થાય છે તે શોક પચ્ચક્ખાણ ભાંગવાથી થતો નથી. આ દશાથી આત્માને મુક્ત કર્યા વિના છૂટકો નથી. સંવર તથા નિર્જરામાં પુરુષાર્થ જોઈએ ?
સંવર એ આત્માને લાગતાં નવાં કર્મોને રોકે છે. સમ્યગુદૃષ્ટિ આત્મા સંવરનો સ્વીકાર કરી નિર્જરા કરવા દ્વારા મુક્તિને સાધે. સંવર તથા નિર્જરામાં પુરુષાર્થ જોઈએ. સમ્યગુદૃષ્ટિ આ બે પુરુષાર્થ સાધવામાં પ્રયત્નશીલ હોય. નવા દુશ્મનને એ ઘૂસવા ન દે અને પેસી ગયેલાને હડસેલીને કાઢે તો મુક્તિ સાધે. ઘેર બેઠાં ખાતાંપીતાં મુક્તિ ન સધાય. શ્રેષ્ઠ સંવરરૂપી પાણીનાં ઝરણાં શ્રીસંઘ મેરૂમાં કાયમ ખળખળ વહે છે, જેથી મનોહર હારની જેવાં એ શોભે છે. એ ઝરણાં સંસારની તૃષ્ણાઓને હણે છે. વર્તમાનમાં તકલીફ કદી લાગે. પણ એનું પરિણામ સુંદર અને સ્વચ્છ છે. નદીઓ સુકાય પણ મેરૂનાં ઝરણાં કદી ન સુકાય. એ જ રીતે શ્રીસંઘ મેરૂમાં પણ સંવરનાં ઝરણાં કાયમ રહે છે. સાધુ, સાધુ થયા પછી પણ પોતાના પૂર્વકાળને ભૂલતો નથી, પણ સંભારીને કરેલા