________________
1897 – ૩૩ શ્રીસંઘ ને મેરુની પૂર્ણ થતી સરખામણી - 113 – ૫૦૯ અને તો જ સાચો અહિંસક ભાવ સ્વીકૃત થાય. આશ્રવ અધર્મ છે ને સંવર ધર્મ છે. પૂર્વે કરેલ હિંસાદિનો પશ્ચાત્તાપ થાય, વર્તમાનમાં સવર્થ એનો પરિત્યાગ કરાય અને ભવિષ્યમાં નહિ કરવાનો નિશ્ચય કરાય તો સંવર સધાય અને તો પચ્ચખાણ ફળે. પરાધીનતાથી થાય એ વાત જુદી. દેવલોકમાં જવું પડે અને
ત્યાં થાય એ વાત જુદી પણ ધ્યેય એ નહિ. કર્મબંધનો આધાર પરિણામ પર છે:
પૂર્વે હિંસાદિ કર્યાનો અખંડ પશ્ચાત્તાપ, વર્તમાનમાં એનો સદંતર ત્યાગ અને ભવિષ્યમાં નહિ કરવાનો દઢ નિશ્ચય, એમાં ક્યાંય સ્વાર્થ છે ? ત્યાં સ્વાર્થનો અંશ પણ નથી. જૈનશાસનનું “સંવર' તે છે. હિંસા તજી એટલા માત્રથી અહિંસક ભાવ ન આવી જાય. હિંસા તજવાથી તે વખતના પાપથી હજી બચે, જો કે એ બચવાનો આધાર પણ પરિણામ પર છે. તંદુલીયો મત્સ્ય હિંસા નહિ કરવા છતાં માત્ર તેના પરિણામના યોગે મરીને સાતમી નરકે જાય છે. કર્મબંધનો આધાર પરિણામ પર છે. કોઈ સલામ ભરે, નમન કરે, સેવા કરે તો તે શા માટે કરે છે એ જાણીને એને ઓળખવો જોઈએ. તમારા ઘરમાં તિજોરી
ક્યાં છે, જોખમ ક્યાં રખાય છે, એ વગેરે જોવા વગર પગારે તમને સલામ કરવા અને તમારી પગચંપી કરવા કોઈ આવે એમ પણ બને. તો એવાને તમે ઓળખી લો ને ? પ્રાણાતિપાત આદિ પાંચેનું વિરમણ શા માટે એ નક્કી કરાય તો સંવર થાય. જો એમ ન હોય તો તો જે જે જીવો જે જે કાળે હિંસા ન કરતા હોય તે તે કાળે તે તે જીવો સંવરવાળા ગણાવા જોઈએ. પણ એમ ગણાતા નથી. દરેક માણસો કાંઈ ચોવીસે કલાક હિંસા નથી કરતા, જૂઠ, ચોરી, મૈથુન આદિ કાર્ય ચોવીસે કલાક ચાલુ નથી હોતાં તો એ ચાલુ ન હોય તે કાળે તે મહાવ્રતધારી ખરા ? નહિ જ. ઊંઘતા હોય ત્યારે એ આત્માઓ મહાવ્રતધારી ખરા? કેમ નહિ ? ત્યાગનો પરિણામ નથી માટે એ મહાવ્રતધારી નહિ. જૈનશાસનનું પચ્ચકખાણ સહેલું નથી?
જો “અહિંસા' શબ્દ બોલવા માત્રથી અહિંસા થતી હોત તો જ્ઞાનીને કડક કાયદા કરવા ન પડત. દર્શન માટે પણ નિસ્ટિહીનાં વિધાન ન હોત. નાનામાં નાની ક્રિયામાં પણ વિધિનો આગ્રહ ન હોત. “નિસિહીથી જ જિનદર્શન ફળે. નિસ્સિહી'માં પણ એ જ ત્રણ વાત છે; પૂર્વના પાપનો ત્રાસ, વર્તમાનમાં પાપનો ત્યાગ અને ભવિષ્યમાં ન કરવાની વૃત્તિ. એવું છે માટે તો સમ્યગુદૃષ્ટિને મંદિરથી નીકળી ઘેર જતાં પગ ન ઊપડે. અહીં સામાયિક પ્રતિક્રમણ પૂરું થતાં ઉપધિનો ગોટો બગલમાં લઈને તમે હર્ષભેર ઘર તરફ દોડો છો તે એમ ન થાય.