SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ અનંત ઉપકારી, સ્ત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘરૂપ મેરૂના વર્ણનમાં હવે ગુફાઓના સ્વરૂપને વર્ણવે છે. શ્રીસંઘમેરૂમાં વ્યાખ્યાનશાળાઓરૂપી ગુફાઓ છે. એ ગુફાઓમાં કોઈથી બાધિત ન થાય તેવા હેતુઓરૂપી ધાતુઓ છે, વિવિધ પ્રકારનાં સુંદર શ્રુતરત્નો છે અને શ્રુતાધારે તપ તપતા મહર્ષિઓને થયેલી લબ્ધિઓરૂપી ઔષધિઓ છે. પચ્ચક્ખાણનો અર્થ શો ? 1696 શ્રી મેરૂ ગિરિ જેમ ત્યાં સુંદર અને સ્વચ્છ ખળખળ વહેતા નિર્મળ ઝરણાથી મોતી તથા હીરાના હારની શોભાને ધારણ કરે છે તેમ શ્રેષ્ઠ સંવરૂપ સ્વચ્છ અને સુંદર જળના ઝરણાથી મનોહ૨ હારની શોભાને ધારણ કરતો શ્રીસંઘમેરૂ પણ શોભે છે. તાપથી તપેલા માનવોને જ્યાં ઝરણાં વહેતાં હોય એ ભૂમિમાં જતાં જ શાંતિ મળે છે. એના જળના પાનથી તૃષા શમે છે. એમાં સ્નાન કરવાથી કાયાની મલિનતા અને શ્રમ ટળે છે. શ્રીસંઘમેરૂ પર પણ કાયમ વહેતા સંવરના ઝરણા આત્માના મળને સાફ કરનાર તેમજ તાપ-તૃષાને શમાવનાર છે. પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહ એ પાંચે આશ્રવ છે; અને એ પાંચનું વિરમણ તે સંવર છે. પચ્ચક્ખાણ કરવાથી વિરમણ થાય છે. પચ્ચક્ખાણનો અર્થ શો ? પૂર્વે જે સેવ્યું હોય તેની નિંદા, વર્તમાનમાં તેના સેવનનો સર્વથા પરિત્યાગ તથા ભવિષ્યમાં તેનું સેવન ન કરવાનો દૃઢ નિશ્ચય, તે પચ્ચક્ખાણનો અર્થ છે. અહિંસાદિ શબ્દથી ન મૂંઝાઓ : સારી ક્રિયાના પચ્ચક્ખાણમાં પૂર્વે કરેલી એ સારી ક્રિયાની અનુમોદના, વર્તમાનમાં એ કરવાની તીવ્ર ભાવના અને ભવિષ્યમાં એ કર્યા વિના ન રહેવાનો નિશ્ચય હોય. હિંસા, જૂઠ, ચોરી, મૈથુન તથા પરિગ્રહાદિ જે પાષો પૂર્વે સેવ્યાં હોય તેની નિંદા, વર્તમાનમાં સર્વથા પરિત્યાગ અને ભવિષ્યમાં એ ન સેવવાના નિશ્ચય વિના પચ્ચક્ખાણ ફળે નહિ. વર્તમાનકાળની અહિંસા, સત્ય, સંયમાદિના ગર્ભમાં ભવિષ્યકાળની હિંસા, અસત્ય, અસંયમાદિ ન જોઈએ. અહિંસાદિ શબ્દોથી મૂંઝાવું નહિ. પૂછવાનું કે એ શા માટે ? એના ઉત્તર ૫૨ બધો આધાર છે. સમ્યગ્દષ્ટ આત્મા ત્રણ વાતનો નિર્ણય કરે. શું કરવાનું, કઈ રીતે કરવાનું અને શા માટે કરવાનું ? અહિંસા શબ્દ માત્રમાં ધર્મ નથી, પણ આજ્ઞામાં ધર્મ છે. જો શબ્દ માત્રમાં ધર્મ હોય તો અધર્મી પણ અહિંસા પાળત. અહિંસાના નામે એ અધર્મ કરત. હિંસાત્યાગ કરતાં પહેલાં પૂર્વે સેવેલી હિંસાનો પશ્ચાત્તાપ ત્યારે જ થાય છે કે એ હિંસા આત્માની દુર્દશા કરનાર સમજાય તો;
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy