SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૩ 160 ભગવાનને આઘા મૂક્યા, ભગવાનના સિદ્ધાંતોને આઘા મૂક્યા, ભગવાનના આગમને આઘા મૂક્યા, તેમના ઠરાવોની કશી જ કિંમત નથી. શાસ્ત્રો ગુરુની નિશ્રાએ વાંચવાનાં છેઃ કુયુક્તિઓનો નાશ કરવાથી શ્રુતરનો દીપે છે. કેવળજ્ઞાની પણ શ્રતની નિશ્રા વિના દેશના દઈ શકતા નથી. એક વાત સમજાવવા હજારો યુક્તિઓનો ઉપયોગ કરવો પડે. યુક્તિઓના ઉપયોગ વિના માત્ર પાનાં. વાંચી જવાથી શ્રુતરનો દીપ્તિમાન ન થાય. ઘસાયા પછી વેચવા લાયક બને છે. સુયુક્તિ કરતાં કુયુક્તિની સંખ્યા વધારે પણ જોર વધારે નહિ. ડાહ્યા થોડા, ગાંડા ઘણા પણ વર્ચસ્વ ડાહ્યાનું હોય. માણસ થોડા અને ઢોર ઘણાં પણ સત્તા માણસ ભોગવે. લાખ યુક્તિઓની સામે એક સુયુક્તિ બસ છે. એક મરણિયો સોને - ભારે. હાથી થોડા, ટોળાં ગધેડાનાં જ હોય. કુયુક્તિ વધારે જ હોય એ શાશ્વત નિયમ. સુયુક્તિ સામે કુયુક્તિ ઢગલાબંધ હોવાથી તે શાસ્ત્રોનું મંથન કરવું પડ્યું. ષડ્રદર્શન જાણે તે જિનદર્શન જાણે અને સાચું સમ્યકત્વ ત્યારે જ આર્વે. સભાઃ “શ્રાવક પણ પદર્શન વાંચે ?' ગુરુની નિશ્રાએ બધું વાંચી શકે. બાકી બધા સ્વયં ડાહ્યા થાય તો મોકાણ મંડાય. ડાહ્યા તો થોડા હોય. બીજા તો નિશ્રાએ ચાલનારા હોય. ઘરમાં બધા ડાહ્યા થાય તો ઘર ન ચાલે. કંપનીમાં પણ જેનું રોકાણ મોટું તેની વાત પર બધાએ ધ્યાન આપવું પડે, ભલે વોટ બધાના હોય. એ જ રીતે ગીતાર્થ એક અને નિશ્રામાં ચાલનાર બધા. બધા જ શ્રીમંત થઈ જાય તો ગાડીમાં બેસે કોણ અને ગાડી ચલાવે કોણ ? માટે ગુરુની નિશ્રાએ શાસ્ત્રો વાંચવાનાં છે. યુક્તિ સામે કુયુક્તિઓ ઘણી રહેવાની. સો વિકલ્પો ઊઠે, પણ આગમના એક પાનાથી એ બધા ટળી જાય. એ આગમના લખનારા જો આજે હાજર હોત તો ઓછપ શી રહેત ? સેંકડો શંકાઓ જ્યારે તેમના લખાણથી ટળે છે તો જાતે હોત તો ? એક જૈનદર્શનની પાછળ કુદર્શન કેટલાં ? અનંતા નય એની સામે ઊભા છે. અનંતા વિરોધની સામે એ ટકે છે. જમાલી જેવા પણ ભગવાનની સામે થયા ત્યાં કર્મની વિચિત્રતા છે. દરેક કાળમાં કુયુક્તિઓનું સામ્રાજ્ય જ રહે છે. આજના શ્રીમંતોની દશા કેવી છે ?? જગતના જીવોને વિષયવાસનાથી વિરાગ પમાડવો છે. વિષયમાં રહેલાને જ વિરાગી બનાવવા છે. વિષયની સામગ્રી વચ્ચે જન્મ્યા એ જ વિરાગ પામ્યા છે. આ મુંબઈમાં સાધુ કેટલા? ગણ્યાગાંઠ્યા જ ને ? અને મોટર બંગલાવાળા
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy