________________
પ૦૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
- 19
તો હીરો ભાળીને પક્ષાઘાત મટી ગયા. અકડાયેલો હાથ એવો લાંબો થઈ જાય કે પક્ષાઘાત ભુલાઈ જાય ને દઈ જતું રહે. મનનો ઉલ્લાસ એ કામ કરે છે. ઇષ્ટ વસ્તુને જોતાં જ એવો ઉલ્લાસ જાગે છે. સમ્યગુદૃષ્ટિને સંયમની કિંમત હીરાથી પણ અધિક છે. ખોટાને ગુસ્સો ન આવે?
સમ્યગુદૃષ્ટિને તો થાય કે સમજે તે દીક્ષા કેમ ન લે ? લે તો એને કેમ રોકાય ? વ્યાખ્યાન સાંભળતાં વૈરાગ્ય થાય અને ઓધો ઉપાડી લે એવા દીકરાના સમાચાર સાંભળી સમ્યગુદૃષ્ટિ બાપ ખુશી થાય. આજે તો ઉલ્લાસની ખામીની પંચાત છે. સમ્યગુદૃષ્ટિના વિચાર તીવ્ર હોય. આજે તો મૂચ્છિત જેવી દશા છે. કૃપણને ગમે તેવું સંભળાવો તોય ગુસ્સો ન આવે, એ તો બધી વાતને હસી જ કાઢે. દાતારને તો જરા સંભળાવો કે આંખ લાલ કરી પૈસા આપી દે. ખોટાને ગુસ્સો ન આવે. લુચ્ચા પણ દેખાવ શાણાનો કરે. દુર્જનની શાંતિ સજ્જનની શાંતિને ટપે એવી હોય છે. દુર્જનની મધુરતા સજ્જનની મધુરતાને ટપે એવી હોય છે. નીતિકારને પણ કહેવું પડ્યું કે, સજ્જનની જીભમાં કટુતા છે, પણ હૃદયમાં એટલી જ મધુરતા હોય છે. જ્યારે દુર્જનની જીભમાં મધુરતા છે અને હૃદયમાં ઝેર ભર્યું હોય છે. આ કસોટી છે. ઓરમાનમાં કદી બાળકની છાતી પર પગ મૂકી દવા નહિ પાય; - એ તો સગી મા જ પાય. ઓરમાન માના હૃદયમાં એ ઉમળકો આવે જ નહિ. સગી મા પણ દીકરાનું ઓપરેશન હોય તો તેને ડૉક્ટરને સોંપે છે. ઓપરેશન કરનાર ડૉક્ટર એ મા-બાપને પણ બહાર કાઢે છે. કેમ કે એ ખોટા મોહમાં ફસાયેલ છે. એ જ રીતે ખોટા મોહમાં ફસાયેલાં માં-બાપથી સાધુઓ પણ દીક્ષારૂપી ઓપરેશનનું કામ છૂપી રીતે કરે.
સભાઃ “મા-બાપનો પ્રેમ એ ખોટો મોહ છે ?”
હા ! સ્વાર્થી પ્રેમ ! પાંગળા દીકરાને મા-બાપ કેવી રીતે પાળે ? એક રૂપાળો અને એક કદરૂપો હોય તો પ્રેમમાં ભેદ પડે કે નહિ ? એક કમાઉ હોય ને બીજો ગમાર હોય તો દૂધની વહેંચણીમાં ફેર પડી જાય. કમાઉના બે ભાગ ને ગમારનો એક ભાગ. પરમાર્થી પ્રેમ તો સમ્યગ્દષ્ટિ મા-બાપનો હોય. એ માબાપની માન્યતા જુદી. મોહમાં ફસેલાં મા-બાપથી તો દીક્ષાર્થી દીકરાને ભાગીને છૂપાઈને દીક્ષા લેવી પડે છે. ત્યાં છોકરો છુપાય છે, સાધુ છૂપાવતા નથી. સાધુ માટે છુપાવવાનું કહેનારા ગમાર લોકો છે. છુપાવ્યા છુપાવાતા હોત તો એકને પણ ન છોડત. અમે છુપાવીએ ને એ બૂમ મારે તો ? પઢાવીને બહાર મોકલવ