________________
૪૯૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1686 ક્યાં છે ? આવા બધા બખાળા કાઢે પણ એકબીજાને કે એકબીજાના ચોપડાને કોઈ જુઠ્ઠા ન કહે. સાધુ કાયદા કોના માને?
જામનગરે ઠરાવ કર્યો કે, સાગરજી મ.ને સાધુ ન માનવા અને સુરત એમને આમંત્રણ આપ્યું તો હવે જામનગરના ઠરાવની કિંમત શું ગણવી ? સભાઃ “એક કોડીની પણ નહિ.”
.. એ રીતે આ લોકો પણ કહે છે કે, “અમારો કાયદો તોડ્યો. તેથી અમારામાં કુસંપ થવાથી એમને (લબ્ધિસૂરિજી મહારાજને) સાધુ ન માનવા...
હવે એમનો કાયદો કોઈ તોડે તેથી એમનામાં કુસંપ શા માટે થાય ? એમને પૂછો કે, તમારા કાયદા માનવા સાધુઓ કાંઈ બધાયેલા છે ? સાધુ તમારા તો ગુરુ છે, શિષ્ય તો ભગવાન મહાવીરદેવના છે. એ વિહાર કરે તે ભગવાનની આજ્ઞા મુજબ; તમારી આજ્ઞા મુજબ નહિ. ચોમાસુ લાવવા માટે તમે એમને વિનંતી કરો છો, આજ્ઞા નથી કરતા. ગામમાં પધારવા માટે વિનંતી તમે એમને કરો છો. પણ પોતાને ગામમાં રાખવા માટે એ તમને વિનંતી કરવા નથી આવતા. સાધુ વિહારની તૈયારી કરે તો “રહો સાહેબ !” એમ વિનંતીપૂર્વક તમે કહો છો. પણ “બેસી જાઓ, નહિ જવાય” એમ કહો છો ખરા! આ પદ્ધતિથી તમે જગતને એ તો ખાતરી કરાવી આપી છે કે એ તમારા ગુરુ છે. તમારા એ ગુરુ જ અને શિષ્ય તો એ ભગવાન મહાવીર દેવના છે. તેથી સાધુ કાયદા ભગવાન મહાવીર દેવના અને તેમના આગમના માને પણ તમારા તો કદી ન માને. શ્રાવક પણ તે જ કે જે આગમને માને. . ચડવું પડવું કર્માધીન છે?
પોતાના ઘડેલા કાયદામાં પોતે જ અંદર અંદર લડે એમાં સાધુને શું ? સાધુને તો એ કામ છે કે જે કોઈ દીક્ષા લેવા આવે ત્યારે ત્યાં ગામ હોય, શ્રાવકો હોય અને તેઓ મહોત્સવ કરતા હોય તો તે રીતે દીક્ષા આપે; જંગલમાં આવે તો ઝાડ નીચે પણ દીક્ષા આપે. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે દીક્ષા લેનારની ભાવના વધી ગઈ અને ગુરુ દૂર હોય તો પોતે જાતે પણ વેષ પહેરી લે અને પછી ગુરુ પાસે જઈને દીક્ષા લે. દીક્ષા લેનાર કાંઈ બધાને પૂછવા બંધાયેલો નથી. બધા કાંઈ એના કાકા-મામાં થતા નથી. વેપારમાં પણ સલાહ કોઈ અનુભવીની લેવાય. બધાની ન લેવાય.
આત્મકલ્યાણના માર્ગ માટે કાંઈ એવો કાયદો નથી કે ઘણાની સલાહ