________________
1685 –– ૩૨ - શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 - ૪૯૭ વર્તમાન જોગ” જ. મુંબઈ આવવા માટે વિહાર કરે તો પણ કહે તો ક્ષેત્રસ્પર્શના' જ. ઉપર તમે આવ્યા હો ને હું તમને કહી દઉં કે “અમુક વાત હું વ્યાખ્યાનમાં કહીશ” પણ પછી સભામાં જૈનેતરો આવ્યા હોય તો એ વાત ન પણ કહેવાય તેમ હોય તો ? માટે સાધુ નિશ્ચયાત્મક ભાષા ન બોલે. સાધુ વિચારપૂર્વક જ બોલેઃ
ઇતર પાસે જૈનોની હલકાઈ થાય એવું એ અજ્ઞાનો ભલે બોલે પણ સાધુ તો વિચારીને જ બોલે. એમણે તો ઊંધી જ કાર્યવાહી હાથ ધરી છે. તમે જ્યારે ગાયું કે - અમે કરવાના, કરવાના, કરવાના, શાસનની સેવા કરવાના.” ત્યારે એમણે ગાયું કે – નહિ કરવાના, નહિ કરવાના, શાસનસેવા નહિ કરવાના.' પણ વિચારો કે સેવા નહિ કરવાથી નુકસાન કોને જશે ? આ તો એવો ન્યાય થયો કે દુશ્મન કમાયો માટે પોતે ગુમાવવું. આ તે કેવી મૂર્ખાઈ ? કોઈ ચાર ડાહ્યા હોય તો એમને કહે કે, “ભલા ભાઈ ! આ શું કરો છો ?'
યંગ મેન્સ જૈન સોસાયટીના પ્રમુખે કહ્યું કે, “અમીચંદ જૈન ન હતો, નાનકપંથી હતો અને એને માટે કોઈ પુસ્તકનું પ્રમાણ આપ્યું. છતાં પેલા લોકો કહે છે કે, “ના, એ જૈન હતો.” પ્રમુખ જૈન પરનું કલંક ટાળે છે ત્યારે એ લોકો એને જૈન કહીને કલંક સાચું ઠરાવવા પ્રયત્ન કરે છે. આમાં શી મહત્તા સમજતા હશે ? દૃષ્ટિ ફરી ગઈ છે એનું એ પરિણામ છે. એટલે હવે એવો પણ વખત આવે કે તમે ભગવાન મહાવીરને દેવ કહો તો એ લોકો એમને કુદેવ કહીને ઊભા રહેશે. વિચારો તો એ વખત પણ આવી લાગ્યો છે એમ જણાશે. સંઘ - શબ્દ તો એમણે પકડ્યો પણ સંઘ કોને કહેવાય એનું એમને જ્ઞાન નથી. જો એ - લોકો પોતાને સંઘ તરીકે પુરવાર કરતા હોય તો આજે આપણે પણ લબ્ધિસૂરિજીનો બોયકોટ કરીએ. પણ આવી ચેલેંજ આપવી પણ કોને ? જામનગરવાળાએ જેટલા શબ્દ લખ્યા એટલા જ એમણે લખ્યા. આટલી તો એમનામાં બુદ્ધિ છે. કાયદાબાજ એક ને એક, કાયદો ઘડે તો પણ શબ્દરચના જુદી આવે. આ તો એ જ શબ્દો કે, “સાધુ છે નહિ અને માનવા નહિ.” આ “છે નહિ અને માનવા નહિ' એમ કહેવું એ ભયંકર છે. વેપારી આડતિયા વગેરે સામસામે હિસાબ કરવા બેસે ત્યારે રકમોના વાંધા પડે તો ચોપડા જોઈને વાતો કરે, બીજી ત્રીજી અનેક વાતો કરે, હસ્તે કોણ હતો ? બોલાવો એને, વાઉચર