________________
1684
૪૯૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
કે ત્યાં એક પણ બંધન કોઈનું નડતું નથી. લખે છે કે, ‘અમારો કાયદો સાધુએ ગર્વભરી રીતે તોડવાથી અમારામાં કુસંપ થયો.’
સભાઃ ‘એ તો સૂચવે છે કે એમનામાં પણ ફૂટ છે !'
તે છે જ. આનો અર્થ તો એ થયો કે એમનો કાયદો એમનામાં પણ બધાને માન્ય નથી. સાધુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને કે તમારી ? એમણે પ્રતિજ્ઞા કોની આજ્ઞા માનવાની લીધેલી ?
સભા ‘કેટલાક એમની આજ્ઞાને પણ માને છે.’
એવાને ૨દબાતલ થયેલા સમજવા. જે સાધુએ વાણિયાની સત્તા સ્વીકારી તેમને માટે એ વાણિયાઓ પરસ્પરમાં વાતો કરતાં શું કહે છે એ જાણો છો ? વાત વાતમાં કોઈ એમ કહે કે, ‘વાત બધી ખરી પણ મહારાજ માનશે ?’ એટલે તરત બીજો કહે કે, ‘એ ચિંતા ન કરો ! મહારાજ કોના ! એ તો આમ ચપટી વગાડતાં મનાવી લઈશ.’ જ્યાં હાથ જોડીને ઊભા રહે, એ સ્થિતિ હોય ત્યાં આવી પામરતા આવે છે. એવા સાધુઓ પાટે બેસે તો પણ એમની કિંમત ફૂટી કોડીની નથી. કેમ કે એ વેચાણ થઈ ગયેલા હોય છે. શ્રી જિનેશ્વરદેવનું આગમ એ વાંચી શકે તેમ નથી. એ કદી પાનાં ન જુએ પણ સામાનાં મોં જોઈને તેમને રૂચે એવું જ વાંચે. એમની દશા કફોડી છે.
વાણિયા મહારાજને સમજાવે ?
એવા સાધુઓ ભલે સાધુવેષમાં હોય, પણ’એમની સ્થિતિ નાટકિયા જેવી છે. નાટકિયો રાજા બને, પાઠ આબેહૂબ ભજવે. પણ મનમાં બરાબર સમજે કે પોતે પચાસનો પગારદાર ભવૈયો છે. સાચા સાધુની તો એ છાપ હોય કે કોઈ શ્રાવકને કોઈ બીજો શ્રાવક મહારાજને સમજાવવાનું કહે તો એ કહી દે કે, ‘હું એમને સમજાવનાર કોણ ? હું તો સેવક, ને એ ગુરુ, હું તો એમને વિનંતી કરું. એ કૃપાળુને યોગ્ય લાગે, આગમને બાધક ન હોય અને ત્યારે સ્વીકારે તો ભલે, બાકી મારી વાત એ માની જ લે એ વાત ખોટી. હું એમની પાસે બેસું છું એ વાત ખરી પણ તે એમની સેવા કરવા માટે, મારી વાત સમજાવવા માટે નહિ. સમજવાનું તો મારે જ એમની પાસે હોય. વાણિયો મહારાજને સમજાવે ? સભાઃ “ઘરકા બમ્મન બેલ બરાબર', એમ કહેવાય છે ને ?’
w
એ દુનિયાના વહેવારમાં ભલે કહેવાતું હોય, અહીં એ ન ચાલે. વળી સાધુની ભાષા પણ એવી હોય કે જેમાં દોષ ન લાગે..કરણીય કરે ખરા પણ ‘કરીશ’ એમ ન કહે. ગોચરી સાથે આવે પણ ‘આવીશ' એમ ન કહે. કહે તો