________________
1683 - ૩૨ ઃ શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા - 112 – ૪૯૫ કેમ કરે છે એ ન પુછાય. નિસરણીના એક પગથિયેથી પગ ખસ્યો. તે ગબડીને નીચે જ આવવાનો. એ મોટા ભાગે નીચે પટકાય નહિ ત્યાં સુધી અટકે નહિ. એ લોકોના ઠરાવનો ભંગ ડગલે ને પગલે થવાનો. એવા ઠરાવોની કિંમત નથી. એમને જ પોતાના શબ્દોની કિંમત નથી. જૈનશાસનના શબ્દપ્રયોગો સાચા સાબિત થાય તેવા છે. દરેકને મગજમાં ઊતરી જાય તેવા છે. જિનેશ્વરદેવની આજ્ઞા ન માનનારને શાસ્ત્ર હાડકાંનો ઢગલો કહ્યો તે સાબિત કરી શકાય એમ છે. ફરજિયાત અમલમાં મૂકવો પડે તે કાયદો :
ડાહ્યા માણસો એવા ઠરાવો કરે કે જે વાંચનારને બરાબર જ લાગે. કોઈ માને કે ન માને પણ અનાયાસે એનો અમલ થાય. ગવર્નમેન્ટે કાયદા ઘડનારી કમિટી (ધારાસભા) રાખી છે. એમાં પસાર થાય ત્યારે કાયદો બને. એ કાયદાથી મહેનત કરે તોય છટકી ન શકે. એને કાયદાને તાબે થવું જ પડે. કાયદો એ જાળ છે, એની ચુંગાલમાંથી કોઈ ખસી શકે નહિ. નાનું બચ્ચું પણ જેનું ઉલ્લંઘન કરે એ કાયદો નથી. ફરજિયાત અમલમાં મૂકવો પડે એ કાયદો. વિતરાગ શાસનને માનનારાના ઠરાવ એવા હોય કે મને કે કમને બંધનરૂપ થાય જ. સાધુપણાના આચાર જ એવા કે એમાંથી જરા ખસે અને પછી એ ડોળ કરવા માંગે તો પણ લોકમાં નભે નહિ. રેલમાં બેસનારા પોતાને મુનિશ્રી તથા ધર્મોપદેશક લખાવે પણ જૈન સાધુના આચાર લોકમાં એવા રૂઢ છે કે પેલાને જોઈને જૈનેતર પણ એને પતિત કહે. અત્યાર સુધી સંઘ બહાર મુકાયા તે આવાં જ કારણોથી. એવાઓએ ઘણાંયે ફાંફાં માર્યા. પણ એમના કપાળમાંથી સંઘ બહારની છાપ ન ગઈ. એ નિયમને અનુસરતો કાયદો હતો. ઠરાવની ભૂમિકા જ ખોટી છેઃ
આ લોકોના ઠરાવની ભૂમિકા વાંચો. એ લખે છે કે, “અમે કરેલો કાયદો ગર્વભરી રીતે તોડી અમારા ગામમાં, અમારામાં કુસંપ કરાવ્યો માટે એવી ક્લેશકારી પ્રવૃત્તિવાળા સાધુ તરીકે રહી શકતા નથી, માટે એમને સાધુ ન માનવા !” “જિનેશ્વરનો કાયદો” એમ લખાય ત્યાં તો વિચાર કરવો પડે પણ અમારો કાયદો' એ શબ્દ લખે છે ત્યાં જ એમની વાત ઊડી જાય છે. સાધુઓએ કાંઈ એમની સત્તા સ્વીકારી નથી. એમને પોતાના ઉપરી તરીકે માન્યા નથી. એમની સાથે કોઈ લેવડદેવડનો વ્યવહાર રાખ્યો નથી. “સાહેબજી ! કૃપા કરો ! બાપજી ! લાભ દેવા પધારો !” એમ કહો, ત્યારે મુનિ વહોરવા આવે છે. આપવાનું તમારે છતાં લાભ દેવાનું મુનિને કહો છો. જૈનશાસનની ખૂબી એ છે