________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સર્વજ્ઞના વચનથી સાચો ધર્મ સ્વીકાર્યા વિના સર્વજ્ઞતા આવતી જ નથી. સર્વજ્ઞ બન્યા પછી ધર્મની જરૂ૨ નથી. ધર્મની પરીક્ષા છદ્મસ્થકાળમાં જ છે. એ માટે સાચી ચાવી જોઈએ. વિષયથી આત્માને જે આઘો ખસેડે, કષાયોને જે તજાવે, ગુણ પ્રત્યે રાગ જન્માવે અને મોક્ષમાર્ગની ક્રિયામાં જે અપ્રમત્ત બનાવે, તે જ સાચો ધર્મ. વિષયનો વિરાગ કયો ધર્મ કરાવે ? જે ધર્મના સ્થાપક વીતરાગ હોય, પ્રચારક ગુરુઓ નિગ્રંથ હોય અને જેના સિદ્ધાંત ત્યાગમય હોય, તે ધર્મ વિષયનો વિરાગ કરાવે. જે ધર્મમાં આશ્રવ અને સંવરનો ઝીણવટથી વિચાર કરવામાં આવ્યો હોય, જીવ અને અજીવના વિભાગ સ્પષ્ટ બતાવવામાં આવ્યા હોય, અમુકમાં ઓછા જીવ અને અમુકમાં વધારે જીવ એજેમાં વિચારાયું હોય, જીવો શાથી જન્મે અને મરે એ બધાનો સૂક્ષ્મપણે જ્યાં વિચાર કરવામાં આવ્યો હોય તે ધર્મ વિષયથી વિરાગ પમાડે, કષાયો તજાવે વગેરે કરાવે.
૪૯૪
1682
સભા ‘આ બધું તો દિગંબર અને સ્થાનકવાસીમાં પણ છે ને ?’
ત્યાં પૂરું નથી. એકે ભગવાનને માન્યા પણ તેમની આકૃતિને ન માની. એટલે કે બાપને માન્યા પણ તેમના ફોટાને ન માન્યો. એક કહે છે કે પુરુષ મોક્ષે જાય અને સ્ત્રી ન જાય. વીતરાગ આવો પક્ષપાત કરે ? નહિ જ. જીવાદિ પદાર્થોના સ્વરૂપમાં પણ એ આગળ નહિ વધે. એકે મૂળ આગમોને જ માન્યા તે પણ પૂરા નહિ, બીજાઓ આગમ માનતા જ નથી. એમણે નવાં ઉપજાવ્યાં. છદ્મસ્થના ઉપજાવેલામાં ગોટાળા હોય.
સ્ત્રી કેમ મોક્ષે ન જાય ? :
સાચા ધર્મની પરીક્ષામાં મુસીબત નથી. પણ અર્થમની આસક્તિ જતી નથી. પહેલાં એ બધા અર્થકામ અંગેના કામમાંથી પરવાર્યા પછી જ આ, એ ભાવના છે ત્યાં શું થાય ? આ તો એવું જ રાખ્યું છે કે દેવ પણ જે ચમત્કારી હોય તે માનવા, શાસ્ત્ર પણ તે માનવું કે જેમાં પોતાને કાંઈ બાધ ન આવે, આ દશામાં હવે સાચા ધર્મની પરીક્ષા શી રીતે થાય ?
સભા ‘સ્ત્રી કેમ મોક્ષે ન જાય ?’
તેઓ કહે છે, એક સૂતરનો તંતુ પણ અડે તો કેવળજ્ઞાન અટકી જાય. સ્ત્રીથી નગ્ન રહેવાય નહિ, તેથી સાધ્વી થવાય નહિ; એટલે મોક્ષે જવાય નહિ. સૂતરના તંતુથી કેવળજ્ઞાન ઊંડી જવાની ત્યાં માન્યતા છે. જેમ પાટણમાં ઠરાવ થયો તે જોયો ને ? એક માણસને દીક્ષા અપાય એટલે બધા સાધુપણામાંથી ઊડી જાય તેમ. આ કેવો ઠરાવ ? એક માણસ ઉન્માર્ગે ચઢ્યો એટલે એ આવી ભૂલો