SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ 1681 ૩૨ : શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા – 112 નભે, પરંતુ દર્શનહીણા ન નભે. શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે જ સાચું એવી શ્રદ્ધા તો સમ્યગ્દર્શન. સંસાર ખોટો, તો ખોટો માનવો જ પડે. જો સંસાર સારો હોત તો શ્રી જિનેશ્વરદેવો એનો ત્યાગ શું કામ કરત ? ત્યાં દલીલ કે યુક્તિ ન મગાય. પોતે ન તજી શકે તે કમનસીબી માને. એવી શ્રદ્ધા આવે તો અલ્પ જ્ઞાન પણ મહાન થાય અને નાનો ત્યાગ પણ મોટો બને. આજના ઝઘડા સમ્યગ્દર્શનના અભાવના છે આજે ત્યાગ તથા જ્ઞાનની નિર્બળતા શ્રદ્ધાના અભાવે છે. આજના રગડાઝઘડા પણ સમ્યગ્દર્શનના અભાવના છે. બધા જ્ઞાન ચારિત્ર ખટકતાં નથી, પણ દર્શન ખટકે છે. જ્ઞાન. ચારિત્રમાં તો બચાવ કરી શકે. જ્ઞાનમાં ક્ષયોપશમના અભાવનો અને ચારિત્રમાં સામર્થ્યના અભાવનો બચાવ કરે પણ દર્શનમાં શું કહે ? કોઈ સંયમ ન લે તેને નાસ્તિક ન કહેવાય. કેમ કે, ‘તાકાત નથી’ એવો એ બચાવ કરી શકે છે; પણ દર્શન માટે શો બચાવ કરે ? એટલે દર્શન માનવામાં જ મોટી મૂંઝવણ છે. મન, વચન, કાયા એ ત્રણે યોગોના મુખ ઉપર દર્શન તાળું લગાવે છે. ભગવાને શું કહ્યું છે તે સમ્યગ્દષ્ટિએ પહેલું જોવું પડે. ત્રણેય યોગો પર બેડી નાંખનાર પહેલું સમ્યગ્દર્શન છે. માટે તો આજે કહે છે કે, ‘દર્શનના જમાના વયા ગયા.' આવા પ્રલાપો આટલા માટે જ કરનારને કરવા પડે છે. ૪૯૩ સભા ‘શાસ્ત્રમાં તો પ્રથમ જ્ઞાન અને પછી ક્રિયા' એમ જ કહ્યું છે ને ?’ એ જ્ઞાન પણ સમ્યગ્દર્શનપૂર્વકનું. એના વિનાના જ્ઞાનને તો શાસ્ત્ર અજ્ઞાન જ કહે છે.. દર્શન વિના જ્ઞાન ચારિત્રની કિંમત નથી. ઘણો તપ કરે, મહિના મહિનાના ઉપવાસ કરે, અગ્નિમાં પડતું મૂકે. પર્વતની ટોચેથી ઝંપાપાત કરે, એ બધાની કશી કિંમત નથી. કેમ કે, એ બધું તો સંસા૨માં અનાદિકાળથી ચાલુ છે. જેને માટે પ્રાણ આપવા લોકો તૈયાર ન થાય એવી દુનિયામાં કઈ ચીજ છે ? શ્રી જિનેશ્વરદેવના કથનને જ સત્ય ન માને તે શું ન માને એ આશ્ચર્ય. સભા ‘શ્રી જિનેશ્વરદેવને જ માનવા એ પક્ષપાત નહિ ?' ના. અહીં મહાવી૨ને જ માનો એમ નથી કહેતા. જે વીતરાગ હોય, જે રાગ-દ્વેષના વિજેતા હોય, જે અરિહંત હોય, એને માનવાનું કહેવામાં આવે છે. મહાવીર પણ અરિહંત થયા માટે મનાયા. સો ટચનું સોનું સૌ ચોકસી જણાવે. પણ કસોટીના પથ્થરે આવે તો ખરું ને ? સાચી ચાવી હાથમાં આવે તો જ્યાં ત્યાં ડાફોળિયાં મારવાં ન પડે. સભા ‘તમે પણ સર્વજ્ઞ નથી તો સાચો ધર્મ શી રીતે જાણી શકો ?'
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy