________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
કંદરાઓમાં સિંહો ફરે અને ગુફાઓમાં સિંહો રહે. કંદરા અને ગુફા વચ્ચે આટલું અંતર સમજવું. શ્રીસંઘ મેરૂમાં કંદરાને સ્થાને જીવદયા છે. કુમતવાદીરૂપી હરણિયાંઓને ત્રાસ પમાડનાર મુનિઓરૂપી સિંહો ત્યાં ફરે છે. એ શ્રીસંઘ મેરૂમાં ગુફાને સ્થાને વ્યાખ્યાનશાળા (ઉપાશ્રયો) સમજવાની છે.
૪૯૨
1680
સભા ‘જીવદયાની રમણતા એટલે શું ?'
જીવ માત્રની ભલાની ભાવના. કંદરાઓમાં મુનિરૂપી સિંહો ફરે અને ગુફામાં એ ૨હે. મુનિરૂપી સિંહોને જોઈને કુમતવાદીઓ ત્રાસે. જો એમ ન હોય તો કંદરાના જીવોને રક્ષણ ન મળે. એ કંદરા સુસ્થિત ન ટકે. અયોગ્ય આત્માઓને તો મુનિ પાસે આવતાં ત્રાસ થાય. સિંહની એક ત્રાડથી પણ જાલિમ જાનવરો ભાગે જ. એ શૌર્ય એનામાં છે. વિના પ્રહારે દુશ્મનો રસ્તો માપે. શ્રીસંઘમેરૂની વ્યાખ્યાનશાળા રૂપી ગુફામાં હેતુઓ રૂપી ધાતુઓ છે. વસ્તુને સિદ્ધ કરવા અપાય તે હેતુ. પક્ષ સ્થાપવા માટે પ્રબળ સહાયક તે હેતુ. ધૂમ્ર હેતુથી નિશ્ચયરૂપે અગ્નિ સાધ્ય થાય. ગરમી તો સૂર્યના તાપથી પણ થાય, પરંતુ અગ્નિનો પ્રબળ હેતુ ધુમાડો. વસ્તુની સ્થાપના સિદ્ધ કરવા મોટામાં મોટું સાધન હેતુ.
સાધ્યની સાથે રહે તે હેતુઃ
ન
હેતુ બે પ્રકારના; અન્વય અને વ્યતિરેક. જેને માટે હેતુ આપે તે ત્યાં હોય જ, એ અન્વય અને સાધવા યોગ્ય પદાર્થ ન હોય ત્યાં હેતુ ન જ હોય એ વ્યતિરેક. અગ્નિ એ સાધ્ય અને ધૂમ્ર એ સાધવાનો હેતુ. ધૂમ્ર હોય ત્યાં અગ્નિ જરૂર હોય તે અન્વય હેતુ અને અગ્નિ ન હોય ત્યાં ધૂમ્ર ન જ હોય તે વ્યતિરેક હેતુ. સાધ્યની સાથે રહે તે હેતુ. પોતે ૨હે તો સાધ્યને પકડે તે હેતુ. કેટલાક હેતુ ભાસે ખરા પણ હોય નહિ, તે નકામા. સમ્યગ્દર્શન હોય ત્યાં સંયમની રુચિ હોય જ. સમ્યગ્દર્શન વિનાનું સંયમ સંયમ નથી. જ્ઞાન અને ચારિત્રને મોક્ષમાર્ગ બનાવનાર હોય તો સમ્યગ્દર્શન છે. સમ્યગ્દર્શન એકલું હોય તો પણ ઠીક પણ એના વિના જ્ઞાન-ચારિત્રની કિંમત નથી. જ્ઞાન અને ચારિત્ર મુક્તિનાં સાધન નથી. પણ સમ્યગ્દર્શન વડે એ મુક્તિનાં સાધન બને છે. સમ્યગ્દર્શન રહિત એકલાં જ્ઞાન-ચારિત્ર મુક્તિ ન આપે. કરોડો વર્ષ સંયમ પાળે અને પુસ્તકો ઘણાં વાંચી જાય. પણ સમ્યગ્દર્શન વિના એ તમામ વ્યર્થ. ભલે જ્ઞાન વિશિષ્ટ ન હોય, સામાન્ય જ હોય, ચારિત્ર સામાન્ય હોય, પણ સમ્યગ્દર્શન મજબૂત હોય તો અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાન થઈ જાય. જ્ઞાન અને ચારિત્રને સુંદર બનાવનાર સમ્યગ્દર્શન છે. આ શાસનમાં સંયમમાં ઢીલા હજી નભે, વગર ભણેલાં પણ