________________
૩૨ : શ્રી સંઘમેરૂની ગુફા એટલે વ્યાખ્યાનશાળા વીર સં. ૨૪૫૦ વિ. સં. ૧૯૮૬. ચૈત્ર વદ-૯ મંગળવાર, તા. ૨૨-૪-૧૯૩૦
112
• જીવદયાની રમણતા એટલે શું ? • સાધ્યની સાથે રહે તે હેતુ : • આજના ઝઘડા સમ્યગ્દર્શનના અભાવના છે : • સ્ત્રી કેમ મોક્ષે ન જાય ?
ફરજિયાત અમલમાં મૂકવો પડે તે કાયદો : - • ઠરાવની ભૂમિકા જ ખોટી છે : • વાણિયા મહારાજને સમજાવે ?
સાધુ વિચારપૂર્વક જ બોલે : • સાધુ કાયદા કોના માને ? પૂછ્યા વિના દીક્ષા લેવાય જ નહિ એવો નિયમ નથી :
સમકિતીને સંયમ હીરાથી પણ અધિક લાગે : • ખોટાને ગુસ્સો ન આવે : • શાસ્ત્રો ગુરુની નિશ્રાએ વાંચવાનાં છે: - આજના શ્રીમંતોની દશા કેવી છે ?
અહિતકર તો ન જ બોલાય : તમને સારી ઈ રીતે કહેવાય ? કોરી પ્રશંસાથી ઉદય ન થાય :
તમે અહીં ઘરના કે બહારના ? • શ્રત માનનારને જ કેવળજ્ઞાન થાય:
જીવદયાની રમણતા એટલે શું?
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી મહારાજા શ્રી નંદીસૂત્રમાં શ્રીસંઘની મેરૂની સાથે સરખામણી કરે છે. એમાં કંદરાની સરખામણી વિષે આપણે વર્ણન કરી ગયા. કંદરા એટલે મોટી ગુફા. હવે પહાડમાં રહેલી નાની ગુફાઓની સરખામણી કરી રહ્યા છે. પર્વતમાં નાની મોટી ગુફાઓ ઘણી હોય, એમાં ધાતુઓ, રત્નો, ઔષધિઓ વગેરે હોય.