________________
1678
૪૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
સોબતમાં શોભાની ભાવનામાં આત્માનો નાશ છે. અહીં પણ પારકાને ન ભેળવવા. એ પોતાને ભણેલા કહે તો કહી દેવું કે અમારે ભણેલાની જરૂર નથી. વગર કેળવાયેલા ઘઉંના આટાથી ચલાવાય પણ સાફ કરેલા પથ્થરના ભૂકાથી કામ ન લેવાય. કેળવણી વગર ચાલે પણ પ્રભુવચનમાં શ્રદ્ધા ન ધરાવે તો તેને એક ક્ષણ પણ ન નભાવાય.
જૈનશાસનમાં સંઘ મેરૂમાં અહિંસારૂપી ગુફાઓમાં કુમતવાદીઓરૂપી હરણિયાંને ત્રાસ પમાડવામાં સમર્થ મુનિસિંહો વસે છે, એ વિષે `શાસ્ત્રકાર ભગવંત વિશેષ શું વર્ણન કરે છે તે હવે પછી.