SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ 1676 સેવા કરનારને સાધુ ન માનવાનું ઠરાવનારાએ પોતાની મૂર્ખતા જાહેર કરી છે. જેનામાંથી શાસન જાય છે તેનામાં કુદરતી મૂર્ખતા આવે છે, નહિ તો કોઈ આવું સાહસ ન કરે. તેમને કોઈ જબરદસ્તીથી કહેવા ગયું નથી કે, “તમે આમને સાધુ માનો,” પછી આવા નિરર્થક બકવાદની જરૂર શી હતી ? કોઈ કહે કે, “હું તમને નોકરીમાં રાખવાનો નથી' તો એ એનો મિથ્યા પ્રલાપ છે. જે પોતે જ દરિદ્રી છે, પચીસ રૂપરડીનો પગાર આપવાની પણ ત્રેવડ નથી, તેને ત્યાં નોકરીએ રહેવા પણ કોણ જવા નવરું છે ? એવા નોખા પડે તો વાતાવરણ ચોખ્ખું થાયઃ જેઓને આજ્ઞાની પડી નથી; જેઓ આગમો માટે એલફેલ બોલે છે તેવાના તો ગુરુ થવામાં પણ લાંછન છે. અવસર આવે.તો એવાના ગુરુ થવા કરતાં બહેતર છે કે એવા ગામ, નગર કે દેશનો ત્યાગ કરવો. પૂર્વે આચાર્યોએ સંયમને વ્યાઘાત પહોંચે તેવા દેશોના વિહારનો પ્રતિબંધ કર્યો છે. પોતાના સંયમને વ્યાઘાત પહોંચાડીને ઉપકાર કરવા સાધુઓ બંધાયેલા નથી. જે છોકરો બાપને બાપ ન કહે તેના બાપ થવામાં મજા પણ શી છે ? હવે તો એવા સાધુ અને એવા શ્રાવકો અરસપરસ ભેગાં મળી અહીંથી જુદા પડે તો જ નિરાંત થાય. આજે લગભગ સાડા ત્રણસો સાધુ કહેવાય છે એના બસો રહે તો વાંધો નથી, જો કે સાધુ તો લાખ હોય તોયે ઇન્કાર નથી. પણ ઓછામાં ઓછા અત્યારે બે હજાર તો જોઈએ એમ માનું છું. પણ એ લોભે આગમવિરોધીઓનું ટોળું વધારવા ઇચ્છા નથી. સો સાધુ એક રંગના હોય, એક જ સૂર નીકળે તો પરિણામ જુદું જ આવે. ચોમેર લાહ્ય લાગી હોય ત્યારે બંબાવાળા મજબૂત જોઈએ, પંપનાં મોઢાં સરોવર કે કૂવામાં જોઈએ. પાણીના ફુવારા એવા છોડે કે બારી કે મકાન પડી જાય તેનો વિચાર ન કરે. પડેલું પછી નવું થાય પણ આગ તો એક વખત બુઝાવી જ જોઈએ. એમની સંખ્યા મોટી છે. પણ એમાં આગ સંકોરનારા ઘણા છે. જેઓ એમને પુષ્ટિ આપે છે, થાબડે છે તે બધા આગમાં વાયુ ફૂંકનારા છે. આઘા રહેનારા સંકોરનારા છે. મનથી એને ભૂંડું માનનારા બચાવવાની કાળજીવાળા છે અને બોલીને ખુલ્લી રીતે ચેતવનારા પાણીના ફુવારા છોડનારા છે. એ આગમવિરોધીઓ જુદા પડે તો વાતાવરણ ચોખ્ખું થાય. સભાઃ “દરેક પક્ષ બીજાને પોતાનામાં ભેળવવા તો ઇચ્છે ને ? શાસનપક્ષ આગમ વિરુદ્ધ બોલનારને જો ભેળવવાની વાતો કરે તો તે મૂર્ખાઈ છે. એ તો કહે છે કે તમે અમે જાતિએ જૈન ખરા પણ જૈન સંઘ તરીકે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy