________________
૪૮૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1674
એવાના ગુરુ થવા કોણ ઇચ્છે ?
શ્રી જિનેશ્વર દેવના શાસનને માનનાર સાધુ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાની અવગણના કરનારાના ગુરુ થવાનું ઇચ્છે પણ નહિ. એવાના પણ ગુરુ થવા ઇચ્છનારાઓનો ઇરાદો ચોખ્ખો ન હોય. માનવું પડે કે એ કાં તો પેટ ભરવા નીકળ્યા છે અથવા તો ખોટી વાહવાહ માટે નીકળ્યા છે. એવાઓને શ્રી જિનેશ્વરદેવના શાસન ઉપર પ્રેમ નથી અને એ શાસન સાથે સંબંધ પણ નથી. એવા સાધુઓ મંદિરમાં જતા હોય તો પણ સાંધુ ગણાવા માટે જાય છે. પણ હૃદયથી નથી જતા. નક્કી માનો કે આ એક રોગચાળો છે અને તેનાથી સાવધ રહેવાની બહુ જરૂર છે. જો કે સંખ્યામાં તેઓ ચડિયાતા છે, અહીંની સંખ્યા અલ્પ છે. પણ તેથી મૂંઝાવાની જરૂ૨ નથી. અહીંની અલ્પ સંખ્યા પણ એ ઝાઝાને હંફાવે તેમ છે કારણ કે અહીં ભગવાનના શાસનનું બળ છે.
સભા ‘એ લોકો કહે છે કે દીક્ષામાં હાથી કેમ લાવ્યા ?’
હાથી કેમ લાવ્યા એ પ્રશ્ન શો ! લાવી શકાતો હોત તો દેવલોકથી ઐરાવણ હાથી લાવત. જો વડોદરા જેવું શહેર હોત તો એકને બદલે અનેક હાથી લાવત. શાસનરસિક સંઘ પર શાસનદેવની મહેરબાની છે. સંખ્યા ઓછી હોય તેથી શું ?
એ લોકો પણ વિચારમાં તો પડ્યા છે
શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી વિપરીત ચાલે તે સંઘ નથી. પણ હાડકાંનો ઢગલો છે તેમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે. આજ્ઞારૂપી ચૈતન્ય વગરનાં એ મડદાં છે. બે જીવતા માણસથી ઘર ચાલે. પણ ઘણાં મડદાંથી ન ચાલે, ઊલટું ગંધાઈ જાય. પાટણના દીક્ષા મહોત્સવમાં બહારના ભાગ લેવા જનારાને એ લોકોએ સંભળાવ્યું કે, ‘પારકો મફતનો માલ ખાવા આવ્યા છો ને ?’ જુઓ ! એમની વૃત્તિ કેટલી નીચી પરાકાષ્ઠાએ પહોંચી છે ? જવાબમાં પેલા આવનારાઓએ સંભળાવ્યું કે, ‘ભાગ્ય જોઈએ છે. તમે ગામમાં છતાં તમને જમાડતા નથી અને અમને બહારવાળાને નોતરે છે.' એ લોકોને પણ હવે સમજાવા લાગ્યું છે કે, ‘આપણે ખોટે રસ્તે છીએ’, એટલે હવે કહે છે કે, ‘આવી દીક્ષાની અમારી ના નથી.’ એવું કહેનારાને પૂછો કે અઢાર વર્ષ અંદરની દીક્ષા આવી રીત વિના ક્યારે થઈ છે ? સુરતના સંમેલન અને પાટણના દીક્ષા મહોત્સવથી એ લોકો ખરેખર વિચારમાં તો પડી ગયા છે.