SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ 1673 -૩૧ : મુનિ સિંહની ત્રાણ... શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૮૫ જણાવે છે. આ લોકો ભગવાનની પૂજા પણ શા માટે કરે છે ? કહેવું જ પડે કે ભગવાનના વચનાનુસાર સાધુઓ વર્તન કરે છે તેમને અટકાવવા માટે, એમની કાર્યવાહી આ રીતે વિપરીત પ્રકારની હોવાથી એમની પૂજા પણ અર્થહીન છે. આવો ઠરાવ એ તો બુદ્ધિનું પ્રદર્શન છેઃ એ લોકો સાધુઓને કહે છે કે, “ભગવાન તો ચોવીસસો વર્ષ પહેલાં થઈ ગયા; એ તમને રોટલા આપવા નહિ આવે. તમારે તો અમારે આધારે હાલમાં જીવવાનું છે માટે અમે કહીએ તેમ વર્તવું પડશે.” આની સામે જવાબમાં સાચા સાધુઓ કહે છે કે, “અમે તમારા આધારે નહિ પણ ચોવીસસો વર્ષ પહેલાં થઈ ગયેલા એ ભગવાનના શાસનના આધારે જીવીએ છીએ માટે અમારા રોટલાની તમે ચિંતા નહિ કરતા. અમારે તો ભગવાનની આજ્ઞા મુજબ વર્તવાનું છે. તમે કહો તેમ નહિ જ.”એટલે એ લોકો ઠરાવ કરે છે કે, “લબ્ધિસૂરિ તથા તેમના સાધુઓને તથા નવદીક્ષિત સાધુઓને સાધુ માનવા નહિ.” આ ઠરાવનો અમલ કરવાની એ લોકો બધાને ભલામણ કરે છે. હવે એવી ભલામણ કરનારાને પૂછો કે, “એમને સાધુ કેમ ન માનવા એનો ખુલાસો આપો.” આનો ખુલાસો એ નહિ આપી શકવાના. સાધુ થયેલા કે નવા સાધુ થનારા કોઈ પણ એમની આજ્ઞા માનવાની પ્રતિજ્ઞા લઈને સાધુ થયા છે ? વિચારો કે એ લોકો કેટલી હદે ઊંધા જાય છે અને પોતાની જાતને કેટલી નીચી કક્ષાએ ઊતરી ગયેલી જાહેર કરે છે ? જો કે આવું કરનારા છે થોડા પણ એ લોકો બધાને પોતાના ટોળામાં જ ગણે છે. તેથી પાટણવાળાએ આ વખતે ડહાપણ વાપરી “શાસનરસિક સંઘ'ના નામે કંકોત્રી બહાર પાડી. એટલે એ લોકો અકળાયા અને ઠરાવ કર્યો કે, “અમારા ગામમાં અમે જ સંઘ છીએ. બીજો કોઈ સંઘ નથી.” પણ તમે જ સંઘ હો તો ભલે હો ! કોણ ના પાડે છે ? તમારા સંઘમાં ગણાવા કોઈ આવ્યું નથી. શાસનરસિક સંઘ કંકોત્રી બહાર પાડે છે, દીક્ષા આપનાર, લેનાર, મહોત્સવ કરનાર, મહોત્સવમાં ભાગ લેવા આવનાર બધા શાસનરસિક સંઘમાં છે તો પછી તમારે હવે ચિંતા કરવાની જરૂર ક્યાં છે ? જો લબ્ધિસૂરિજી મહારાજે અલ્પ સંખ્યા ધરાવતા શાસનરસિક સંઘના ગુરુ કે આચાર્ય થવાનો ઇન્કાર કર્યો હોત અને બધાના એટલે એમના પણ ગુરુ ગણાવાની ઇચ્છા જાહેર કરી હોત તો તો આવા ઠરાવની જરૂર હતી કે લબ્ધિસૂરિ અમારા ગળે પડવા આવે છે. પણ એ અમારા ગુરુ નથી, પણ એવું તો કાંઈ હતું નહિ. પછી તો ઠરાવ કરી બુદ્ધિનું પ્રદર્શન કરવાની જરૂર શી હતી ? એ તો ત્યાં આવ્યા ત્યારથી જ ભગવાનની આજ્ઞા માને તેને સંઘ.અને ન માને તેને અસ્થિસમૂહ જ કહે છે, પછી એમને ચિંતા કરવાની જરૂર ક્યાં છે ?
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy