SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ 1667 -૩૧ : મુનિ સિહોની ત્રાણ... શાસન વિરોધીઓને પડકાર - 11 - ૪૭૯ આવે તો કોને મુખ્ય રાખવા એ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ત્યાં એમ જણાવ્યું છે કે અર્થથી કામ છે માટે કામના ભોગે અર્થને સાચવવો અને ધર્મથી અર્થકામ છે માટે એ બેયના ભોગે ધર્મ સાચવવો. આ ત્રણે પુરુષાર્થને આ રીતે પરસ્પર બાધ ન આવે તેમ સેવનારને ત્યાં ધર્મી નથી કહ્યો પણ ધર્મનો અધિકારી કહ્યો. અર્થકામની પ્રવૃત્તિ કરતાં છતાં ધર્મને વીસરતો નથી માટે ધર્મનો અધિકારી કહ્યો પણ એને ધર્મી તો ન કહ્યો. અર્થકામમાં પડ્યા છતાં એને ધર્મ સાચવવાની કાળજી છે, આથી ધર્મ માટે એ લાયક છે. અર્થકામને સારા માનવા એ કુમત છે: અર્થકામનો રાગરંગ, એ મેળવવાની આકાંક્ષા, આ જેના હૈયામાં છે એ બધા હિંસક વૃત્તિવાળા છે. આવાને ત્રાસ પમાડવા મુનિઓરૂપી સિંહો જરૂર જોઈએ, નહિ તો એ નઘરોળ બને. મુનિરૂપી સિંહને જોઈને અર્થકામના રસિયા હિંસકોને ત્રાસ થાય કે જરૂર એ મારો હિસાબ માંગશે, કાંડું પણ પકડશે. મુનિ પાસે આવતાં પોતાની ખબર લેવાશે એવો ભય એને હોય જ. મુનિ આંખ પણ કાઢે, કાંડું પણ પકડે અને કદી બળાત્કાર પણ કરે, એ વાત ખોટી નથી. મુનિની હયાતીમાં હિંસક પ્રવૃત્તિ મંદ પડે. મુનિની હાજરી હોય ત્યારે ગૃહસ્થની અર્થકામની પ્રવૃત્તિ મોળી પડે. એમના વિયોગે ભાવના ફરી જાય એ વાત જુદી. અર્થકામને સારા માનવા કે કહેવા એ કુમત છે. મુનિનાં દર્શને એ ભાવના નીકળી જ જાય. ગૃહસ્થ પ્રભુપૂજાને જેમ સારી માને તેમ અર્થકામને સારા માને ? પૂજાથી મુક્તિ તેમ અર્થકામથી મુક્તિ માને ? નહિ જ. અપેક્ષાથી આવી વાતો કરનારાનાં આંતરડાં ઊંચાં આવે એવા પ્રશ્નો એમને પૂછો. ગૃહસ્થાવાસમાં પડેલાને અર્થકામની જરૂર પડે છે એમ કહો. સાધુ અર્થકામ વિના નભાવી શકે અને ગૃહસ્થ નથી નભાવી શકતા એ વાત સાચી પણ તેથી એ અર્થકામ યોગ્ય કહેવાય ? નહિ જ. સ્યાદ્વાદ એ ફૂદડીવાદ કે સ્વાર્થવાદ નથી ? આ દર્શનમાં એક પણ અપેક્ષા એવી નથી કે જેને લઈને અયોગ્યને યોગ્ય તરીકે સમજાવી શકાય. સ્યાદ્વાદ એટલે ફૂદડીવાદ કે સ્વાર્થવાદ નથી. ગમે તેવી વાગુજાળમાં પણ પોતાના સિદ્ધાંતને ચસકવા ન દે એ સ્યાદ્વાદ. હજારો યુક્તિ સામે પણ સ્યાદ્વાદી તો અડગ ઊભો રહે. એક પણ ખોટી વાતને સાચી ન માને કે ન માનવા દે તે સ્યાદ્વાદ. સ્યાદ્વાદી બાપને બાપ માને. પણ કહે કે દીકરાનો બાપ, જેનો તેનો નહિ. પતિ ખરો પણ એની પત્નીનો જ. એ રીતે તમામ સગાઈમાં ઘટાવવું. એક વસ્તુના અનંતા ધર્મને સ્યાદ્વાદ માને ખરો પણ એ રીતે
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy