________________
1665 -૩૧ : મુનિ સિહોની ત્રાડ... શાસન વિરોધીઓને પડકાર - 111- ૪૭૭
આ શાસનમાં એક પણ અનુષ્ઠાન એવું નથી કે જેમાં જીવદયાની મુખ્યતા ન હોય. કુમતવાદી રૂપી હરણિયાંઓને ત્રાસ પમાડતા સમર્થ મુનિવરો રૂપી સિહોં એ ગુફાઓમાં વસે છે. જો કુમતવાદી ભાગે નહિ તો મુનિ છે એની ખાતરી શી ? જો હરણિયાં ભાગે નહિ તો તે વનમાં સિંહ છે એની ખાતરી શી ? જીવદયાની ગુફાઓમાં મુનિઓરૂપી સિંહો ન હોય તો અહિંસાનો પ્રચાર ન થાય. કુમતવાદ ચાલુ રહે તો અહિંસા ન રહે, હિંસા ફેલાય, જેના પર પ્રેમ હોય તેની અયોગ્ય કાર્યવાહી જોવા છતાં જેની એના તરફ આંખ લાલ ન થાય એ વસ્તુતઃ હિતૈષી જ નથી. સિંહ જેવો શૌર્યવાન છે તેવો જ ક્ષમાવાન છે. ક્ષુદ્ર જંતુઓ પ્રત્યે તો એ તંદન બેદરકાર હોય છે. એનાં કડપ એવો કે ક્ષુદ્ર જંતુઓ એની પાસે ફરકે જ નહિ એ વાત સાચી. મુનિમાં પણ તેવું જ શૌર્ય જોઈએ. એની ક્ષમા શૌર્યવાળી હોય. એને જોઈને ઉન્માર્ગગામીઓ ધ્રુજે. હરણિયાં તથા કૂતરાં જેવા ક્ષુદ્ર પ્રાણીઓ સિંહ પાસે ગેલ ન કરે. જો કે સિંહ તેમના પર ત્રાપ નથી મારતો પણ પેલાઓને ભય ખરો. પાપી પ્રત્યે દયા પણ પાપ પ્રત્યે ક્રૂરતાઃ
જીવદયા રૂપી ગુફાઓમાં મુનિઓ રૂપી સિંહોનો વાસ હોવાથી કુમતવાદી રૂપી હરણિયાંઓનો સંચાર થતો નથી. મુનિઓ સુકોમળ પણ ખરા અને કઠોર તથા ક્રૂર પણ ખરા. તમામ પ્રાણીઓ પ્રત્યે એ દયાળુ હોવાથી સુકોમળ પરંતુ પાપ પ્રત્યે ક્રૂર. મુનિને પાપી આત્મા પ્રત્યે દયા આવે પણ પાપ પ્રત્યે ક્રૂરતા જ હોય. જ્યાં પરિણામે આત્માનું હિત જણાતું હોય ત્યાં ખોટી દયા એ ન બતાવે. ગજસુકુમાળ પર શી શી વીતશે એ જાણવા છતાં ભગવાને એમને સ્મશાનમાં જવાની આજ્ઞા આપી. આવું શૌર્ય ન હોય તો મુક્તિ સહેલી નથી. મોક્ષમાર્ગનો ઉપદેશક ઢીલો થઈને બોલે કે, “કાંઈ વાધો નહિ” દીક્ષા ન લેવાય તો સંસારમાં રહીને પણ ધર્મ થાય તો કોઈ મુક્તિએ ન જાય. ત્યાં તો મુનિ કઠોરતાપૂર્વક સ્પષ્ટ કહે કે, “દીક્ષા વિના ધર્મ જ નથી.” મોક્ષમાર્ગનો ઉપદેશક સંસારને સારો કહેવાની દયા બતાવે તો પોતે મુક્તિમાર્ગ આરાધે શી રીતે અને બીજાને આરાધાને પણ શી રીતે ? સિંહને જોઈને તો હાથીઓ પણ નાસભાગ કરે. સંસારરૂપી અટવીમાં મુનિઓ સિંહ સમાન છે. જો એમનામાં શૌર્ય ન હોય તો મોક્ષમાર્ગની. દેશના કે પ્રચાર શક્ય જ નથી. જ્યાં સિંહ નહિ એ વનની મહત્તા નહિ?
સમ્યગુદર્શન આવે એટલે સ્થિતિ ફરી જાય, સમ્યગુજ્ઞાનથી હેયોપાદેય જણાય, સમ્યફચારિત્રપાલનમાં દુનિયાની કોઈ પણ વસ્તુની પરવા ન રખાય”