________________
૩૧ મુનિ સિંહોની ત્રાડ શાસન વિરોધીઓને પડકાર વીર સં. ૨૪પ૬ વિ. સં. ૧૯૮૯. ચૈત્ર વદી-૮ સોમવાર, તા. ૨૧-૪-૧૯૩૦
111
કુમતવાદ ચાલુ રહે તો અહિંસા ન રહે : • પાપી પ્રત્યે દયા પણ પાપ પ્રત્યે ક્રૂરતા : • જ્યાં સિંહ નહિ એ વનની મહત્તા નહિ : • અર્થકામનો રાગ છે ત્યાં હિંસક વૃત્તિ છે : • અર્થકામને સારા માનવા એ કુમત છે : • સ્યાદૂવાદ એ ફૂદડીવાદ કે સ્વાર્થવાદ નથી : • જૈનદર્શન સર્વનયથી વાત કરે છે : • તારક પણ નાશક બને છતાં કહેવાય છે તારક જ ઃ
સાદ્વાદ તો વસ્તુનું નિરૂપણ કરે : • મોક્ષે જવાના અસંખ્ય યોગ છે :
ખાનપાનની ચીજો એ હિંસાનાં સાધનો છે : • મુનિઓ સિંહ કઈ દૃષ્ટિએ ? '
આવો ઠરાવ એ તો બુદ્ધિનું પ્રદર્શન : • એવાના ગુરુ થવા કોણ ઇચ્છે ? ' • એ લોકો પણ વિચારમાં તો પડ્યા છે : • શાસનપ્રેમીઓ હવે નિર્ણય કરે ?
એવાને જૈન કેમ કહેવાય : - • પારકાને ઘરમાં પ્રવેશવા દેવાય નહિ :
પારકી શોભા એ શોભા છે ?
કુમતવાદ ચાલુ રહે તો અહિંસા ન રહેઃ
અનંત ઉપકારી સૂત્રકાર પરમર્ષિ શ્રી દેવવાચકજી ગણિવર શ્રીસંઘની સ્તુતિ કરતાં એની મેરૂ સાથે સરખામણી કરે છે : એ સરખામણીમાં પીઠ, મેખલા, કૂટ, નંદનવન વગેરે સાથેની સરખામણી વિષે આપણે જોઈ ગયા. તે પછી એ પણ જોઈ ગયા કે શ્રીસંઘરૂપ મેરૂમાં જીવદયારૂપી સુંદર કંદરાઓ (ગુફાઓ) ઠામ ઠામ છે.