________________
1963
– ૩૦ જૈનશાસનની કથાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 –
૪૭૫
સાધુ-સાધ્વીનાં મા-બાપ ક્યારે બનાય ? - આ રીતે તમે ઘડાઓ તો શાસ્ત્ર કહે છે કે, એવા શ્રાવકો પણ અવસરે સાધુનાં મા-બાપ બને, પરંતુ જે પોતાના સંતાનનાં પણ મા-બાપ થઈ શકતાં નથી તે સાધુનાં મા-બાપ શી રીતે થઈ શકે ? મા-બાપ થનારે બધી સંભાળ રાખવી પડે. સાતે ક્ષેત્રને ઓળખો :
સાત ક્ષેત્રમાં ત્રણ ક્ષેત્ર અંગે તો વિચારી ગયા. ૧. શ્રી જિનમૂર્તિ, ૨. શ્રી જિનમંદિર, ૩. શ્રી જિનાગમ. ૪-૫. સાધુ-સાધ્વી છે કે જે એ ત્રણને માને, એ ત્રણને સેવે, એમની આજ્ઞા પાળે અને એનો પ્રચાર કરે. ૬-. શ્રાવક-શ્રાવિકા તે કે જે એ પાંચને માને, સેવે અને સાધુ-સાધ્વી જે પ્રથમના ત્રણનો પ્રચાર કરે તેમાં એમને સહાય કરે. આવી રીતે વર્તે તે ચતુર્વિધ સંઘ બાકીનો અસ્થિસમૂહ. સુપાત્રની ભક્તિ મુક્તિને આપે છે તે અંગે વિશેષ હવે પછી.