________________
18ા – ૩૦ : જૈનશાસનની સ્થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૭૩ આનંદના ફુવારા છૂટતાં. વિનીત થવા માટે શાસ્ત્ર દૃષ્ટાંત ગણધર દેવનું આપ્યું છે. એ રોજ આ રીતે કેમ સાંભળતા હશે ? એ પ્રશ્ન જ અસ્થાને છે. એમની ભક્તિ જ અનુપમ. સમય, ત્રેવડ અને તૈયારી – એ ત્રણ જોઈએ:
આપણી પાસે તો સમય, ત્રેવડ અને તૈયારી એ ત્રણેય નથી. ત્રણેનો આપણી પાસે અભાવ છે. તમારે સાંભળવાનું તો ફુરસદે ને ? કલાક કે દોઢ કલાકનો સમય તો વ્યાખ્યાન વાંચનાર મહારાજનો, તમારો નહિ ને ? કેમ કે રોટલાની ગરજ મહારાજને, માટે એ સમય સાચવે, એવી જ માન્યતા છે ને ? ત્રેવડ એટલે સાંભળતાં સાંભળતાં જે ગ્રહણ કરવું જોઈએ, તે પણ ક્યાં છે ? અને તૈયારી એટલે જે સાંભળ્યું તેના અમલની તૈયારી, તે પણ નથી. આપણા માટે આ ત્રણેયમાં વાંધા - પૂર્વે આ ત્રણેય હતા. સમય બરાબર સચવાતો, ત્રેવડ પણ પૂરી અને તૈયારી પણ એવી જ. એક-એક દેશનામાં હજારો આત્માઓ સંયમધર બનતા અને એમાં એવા પણ આત્માઓ હોય કે જેઓ શ્રેણી માંડી કેવળજ્ઞાન પામીને મોક્ષે ચાલ્યા જાય. હજી ગુરુ તો પાટે રહી જાય અને શિષ્યો મોક્ષમાં પહોંચી જાય. એ શી રીતે બને ? શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે અત્યંત ભક્તિભાવથી, હૈયાના પ્રેમથી. એટલે જ્યાં વિશ્વાસ હોય ત્યાં એની આજ્ઞામાં પ્રશ્ન ન હોય અને વિશ્વાસ ન હોય તો એ મિથ્યાદૃષ્ટિ છે. આગળ વધીને સામે થાય તે મહાનાસ્તિક છે અને એથી પણ આગળ વધી ને ગાળો આપે તે તો માણસમાંથી પણ ગયો સમજવો. એને શેમાં ગણવો ?
સભા પશુમાં.”
પશુઓમાં પણ ઘણી જાત હોય છે. કેટલાંક ઘરમાં કે બંગલામાં રખાય. જ્યારે કેટલાંકને રખડતાં જ મુકાય. હાથી જેવા પશુ પર અંબાડી શોભે પણ ગધેડા પર એ મૂકવા જાઓ તો એના ભારથી જ ગધેડો બેસી જાય, વખતે માર્યો પણ જાય. * * * * વ્યાખ્યાનમાં શું વાંચું છું તે જાણો:
શાસ્ત્ર કહે છે કે, આંધળિયાં ન કરો. પણ દેવ, ગુરુ અને ધર્મની પરીક્ષા કર્યા પછી જે તારક લાગે ત્યાં નમી પડો. ત્યાં અક્કડ ન રહો. ત્યાં દંભ ન રાખો. જો ત્યાં પણ એવું કરશો તો હાથમાં આવેલી ઉત્તમ ચીજ ફેંકી દેવા જેવું થશે. ચિંતામણિ રત્ન મળ્યું તો ખરું. પણ વહાણના કિનારે બેસી એ રત્નની ચંદ્રમા સાથે સરખામણી કરતાં હાથમાંથી સરીને દરિયામાં પડી ગયું. મળેલી