________________
1959
- ૩૦ : જૈનશાસનની કથાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 –
૪૭૧
સંભાળપૂર્વક પથારીમાં બેઠો થઈ જાય છે. ક્યાંથી આવી એ શક્તિ એનામાં, તે એ પોતે પણ નથી જાણતો. પ્રેમનું સ્વરૂપ જ એવું છે. પ્રેમની એ પ્રકૃતિ છે. ભક્તિ જાગે ત્યાં એ બધું સહેજે થઈ જાય છે. કેમ કે ભક્તનો એ સ્વભાવ છે. એને શબ્દમાં વર્ણવવો મુશ્કેલ છે. માટે તો પંડિત શ્રી વીરવિજયજી મહારાજાએ કહ્યું છે કે –
વેધકતા વેધક લાહે મનમોહનજી,
બીજા બેઠા વા ખાય, મનડું મોહ્યું રે મન મોહનજી.” યોગ્યતા હોય તેનામાં આ ભક્તિ આવે. શાસ્ત્રમાં આવે છે કે અમુક પુત્રોએ માતા-પિતાની આવી રીતે ભક્તિ કરી ત્યારે આજના સુપુત્રો (!) કહેશે કે, “એ તો બધાં ગપ્પાં. અમને તો કાંઈ એવી ભક્તિ જાગતી નથી તો એ વળી કાંઈ અમારાથી જુદી માટીના થોડા હતા ? એ બધી કેવળ અતિશયોક્તિવાળી વાતો છે.” જ્ઞાનીની આજ્ઞા સામે પ્રશ્ન જ ન હોય !
ચૌદ પૂર્વધર, સ્વયં દ્વાદશાંગીના પ્રણેતા ભગવાનના પ્રથમ ગણધર શ્રી ગૌતમ મહારાજાને જ્યારે ભગવાન આજ્ઞા કરે ત્યારે કશું વિચારવા થોભે નહિ. આજ્ઞા એ જ પ્રમાણ. વિચારવાનું ક્યારે ? આજ્ઞા કરનારમાં ખામી મનાય ત્યારે ને ? મધ્યરાત્રિએ પ્રતિબોધ કરવા મોકલે છે. પણ ત્યારે “રાત્રે કેમ !” “મને જ કેમ ?” “બીજાને કેમ નહિ ?' એવો એક પણ પ્રશ્ન તેમના મનમાં ઊઠતો નથી. એ માને છે કે ભગવાન સર્વજ્ઞ છે, પરમ તારક છે, યોગ્યને યોગ્ય આજ્ઞા જ એ કરે, ત્યાં પ્રશ્ન જ ન હોય.
શાસ્ત્રમાં ત્રણ પ્રકારના શિષ્ય કહ્યા છે. અતિપરિણત, અપરિણત અને પરિણત. તેમાં પહેલા બે પ્રકારના અયોગ્ય. ત્રીજા પ્રકારનો યોગ્ય. માર્ગે જતાં ગુરુ કહે કે, “પેલા ઝાડ પર ચઢી જા.” ત્યાં જે શિષ્ય ચડવા લાગે તે અતિપરિણત અને જે શિષ્ય ચર્ચા કરવા લાગે કે “આ તો સચિત્ત છે” વગેરે કહે તે અપરિણત, કેમ કે, “સચિત્ત છે” વગેરે જાણ્યું તો ગુરુ પાસેથી ને ? તો એ વાતની ગુરુને ખબર નથી ? ગુરુના કથનનો વાસ્તવિક મર્મ સમજે તે પરિણત. શંકા કે ચર્ચા ત્યારે જ થાય કે જ્યારે હૈયાની શ્રદ્ધામાં પોલ હોય. “માWIઈ થો'
આણાયે ધમ્મો – આજ્ઞામાં ધર્મ છે, મનઃકલ્પિત શંકા કે ચર્ચા ખોટી. એના યોગે તે શંકા ઉઠાવનારાઓએ ભગવાનની મૂર્તિને જ ઉઠાવી નાંખી. મૂર્તિ-પૂજા