________________
૪૭૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
1658 લેખક : એ તો એમ જ ચાલે. એવું બધું કાંઈ જોવાય નહિ. એમાં કોઈને અન્યાય કર્યો છે એવું કાંઈ અમે માનતા નથી.
આવા ઉડાઉ જવાબ આપી હસ્યા કરે. હસવાનું કારણ પૂછ્યું તો કહે, “એ તો મારી એવી ટેવ છે. અમે તો દરેક વાતમાં હસીએ, કોઈ ચર્ચામાં ન ઊતરીએ. વિચાર-સ્વાતંત્ર્યમાં માનનારા એટલે અમારા વિચારો પ્રમાણે લખીએ, બોલીએ, બધું કરીએ. તમારા વિચાર તમને મુબારક. અમારે એની સાથે કોઈ તકરાર નથી. પ્રશ્ન: “પણ તમારા અને અમારા વિચારો વચ્ચે આ મહાપુરુની કનડગત
કરવાનું કાંઈ કારણ ?' લેખકઃ કારણ કાંઈ નહિ અને એમાં વળી કનડગત શાની? ફાવે તેવું લખીએ.
આવાને સાધર્મિક તરીકે પૂછવામાં ઘોર પાપ છે. સંઘમાં તાકાત હોય તો આવાને નવકારશીના જમણમાંથી પણ ઉઠાડી મુકાય, કેમ કે ત્યાં તો નવકારને માનનારને જમવાનો હક્ક છે; નવકારની ઠેકડી કરનારાને તો કાંડ પકડીને કાઢી મુકાય. ગમે તેવા કુળનો હોય તોય ત્યાં એની જોહુકમી ન ચાલે. જેને કક્કો પણ ન આવડતો હોય તે આ શાસનમાં ચાલે પણ નવકારમાં રહેલાં પદો તરફ વિરુદ્ધ ભાવવાળો તો એક ક્ષણ પણ ન ચાલે.
સભાઃ “ઇન્દ્રો દાંત, દાઢા, અસ્થિ વગેરે કેમ લઈ જાય ?'
ભક્તિ છે, હૈયાનો પ્રેમ છે માટે. જ્યાં અંતરનો પ્રેમ હોય ત્યાં પ્રશ્ન જ ન હોય. વહાલો દીકરો મરી જાય ત્યારે મા-બાપ એનાં વસ્ત્રો વગેરે પણ સાચવે. એ જુએ ને પુત્રને યાદ કરે, કેમ કે ત્યાં પ્રેમ છે. દુનિયાના પ્રેમીઓ પણ પોતાના પ્રેમપાત્રની પ્રિય વસ્તુઓ સાચવી રાખે છે અને તેને જોઈ જોઈને પોતાના પ્રેમીને યાદ કરી આંસુ સારે છે. ઇદ્રો તો શ્રી જિનેશ્વરદેવોને પરમ તારક માને છે. એ તારકની ભક્તિને જ કરવાનો રસ્તો માને છે, માટે જ એમનાં અસ્થિ વગેરે લઈ જાય છે. ઇંદ્રોથી કે દેવોથી સામાયિક કે નવકારશી આદિ પચ્ચકખાણ થવાનાં નથી એટલે એ વિબુધો (દવો) પરમાત્માની ભક્તિ છોડતા નથી. જો કે પરમાત્માનાં જે અંગો વગેરે લઈ જાય છે તે શાશ્વત નથી. કાળે કરી એ પુદ્ગલો વિખરાઈ જવાના તે વાત જુદી પણ રહે ત્યાં સુધી તો સાચવી જ રાખે અને એની ભક્તિ કરે જ. જ્યાં ભક્તિ જાગી હોય ત્યાં આવા પ્રશ્નોને સ્થાન જ નથી. વેધકતા વેધક લહે...”
પથારીમાં પડેલો દર્દી, વૈદ્યના કહેવા છતાં ઊઠી નહિ શકનારો પણ જ્યારે એનો કોઈ પરમ સ્નેહી કે ખાસ નિકટનો મિત્ર એના જોવામાં આવે કે તરત