________________
૪૬૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
– 1655 બનનારાઓ માટે આજે તેવી તેવી સામગ્રીઓ ઘણી છે. જેઓને પુરુષને સ્ત્રી બનેલી જોવામાં અને કાળાને ધોળા બનેલા જોવામાં મઝા આવતી હોય તેમને આ વીતરાગની મૂર્તિ જોવામાં મઝા નહિ આવવાની. ત્યાનાં નાચનખરાં જોવાને ટેવાઈ ગયેલાં તેમનાં મન અહીં ઠરે પણ શી રીતે ? મંદિરોમાં પણ એટલું બીજું પેઠું તેનાથી હાનિ જ થવાની. મંદિરોને મંદિરોના રૂપમાં અને ઉપાશ્રયોને ઉપાશ્રયોના રૂપમાં જ રહેવા દો. જૈનો જૈન સ્વરૂપે રહે તો જ શાસન દીપે. જમાનાના નામે દુનિયાની હવામાં તણાઈને મંદિરો અને ઉપાશ્રયમાં પરિવર્તન લાવવાની વાત ન કરો. જૈનોથી જૈન મટી જવાય તેવી વાહિયાત વાતોમાં ન પડાય. હૈયે હોય તે હોઠે લાવોઃ
આપણે આ પાંચમા આરામાં જીવી રહ્યા છીએ. તમારે અહીં ચોથા આરાનો અનુભવ કરવો છે કે છઠ્ઠાનો ? જો ચોથો આરો અનુભવવો હોય તો ગુપચુપ આગમની ગુલામી કબૂલો, આગમાં માન્ય છે એમ લખી આપો, આગમો પ્રત્યે શિર ઝુકાવો અને જો છઠ્ઠા આરાનો જ અનુભવ લેવો હોય તો દુનિયામાં બધી સામગ્રી ભરી પડી છે. હૈયામાં જે હોય તે સાફ સાફ કહી દો કે બધી વાતનો પાર આવે. આ તો દરેક સારી વાતને, “આ તો ચોથા આરાની વાત' કહીને ઉડાવવી, આગમો માટે એલફેલ બોલવું અને પાછા મહાવીરના નામે બધા ખેલ કરવા એ કેમ ચાલે ? અમારો મોટો વિરોધ ત્યાં છે. જો તમારી માની લીધેલી સ્વતંત્રતામાં જ માનતા હોય તો મહાવીરનું નામ શા માટે આગળ કરો છો તે સમજાવો. મહાવીરને માનનાર એમની એમના જેવા શ્રી જિનેશ્વરદેવ સિવાય દુનિયાની કોઈ પણ વ્યક્તિની સાથે તુલના કરે ? એમની સાથે જેની તેની સરખામણી કરે ? કરે તો પુરવાર કરવાની તૈયારી ન રાખે એવું બને ? દેવો અને ઇન્દ્રોની પ્રભુભક્તિઃ
ભગવાન માતાના ગર્ભમાં આવે ત્યારથી જ અસંખ્યાતા દેવો સંથા ઇન્દ્રોની દોડાદોડ થવા માંડે, ગર્ભમાં પણ પ્રભુ ત્રણ જ્ઞાનના ધણી હોય, પ્રભુ ગર્ભમાં આવે ત્યારે દેવો મહોત્સવ કરે, પ્રભુ જન્મે ત્યારે ચોસઠ ઇન્દ્રો તેમને મેરૂ પર્વત પર લઈ જઈને ત્યાં તેમનો જન્માભિષેક ઊજવે અને ભક્તિ કરે, એમના દીક્ષા, કેવળજ્ઞાન તથા નિર્વાણના મહોત્સવ ઇન્દ્રો કરે, નિર્વાણ પછી પ્રભુના દેહને અગ્નિસંસ્કાર ઇન્દ્રો કરે તથા એમની દાઢાઓ તથા અસ્થિ દેવલોકમાં લઈ જઈને ત્યાં વજના દાભડામાં રાખી એની પણ પૂજાભક્તિ કરે. એ જ્યાં રાખ્યા હોય તે પવિત્ર સ્થાનની આશાતના ન થાય માટે એની સંપૂર્ણ મર્યાદા જાળવે.