________________
1853 – ૩૦ : જૈનશાસનની સ્થાઓ.. વૈરાગ્યરસ અને વર્તમાન સમય - 110 – ૪૬૫ આજના એ સુધારકો કોઈ ધર્મીના દીવાનખાનામાં જાય એટલે તરત કહે કે, અહીં તો ચારે બાજુ સાધુઓના ફોટા જ દેખાય છે. કોઈ સુંદર રમણીના કલાત્મક ફોટાનાં તો દર્શન જ નથી થતાં. એવાને સ્પષ્ટ કહી દો કે, તું અહીં આવીશ જ નહિ. તારે અંગપ્રદર્શન કરતી સ્ત્રીઓના ફોટા જોવા હોય તો બીજે જા. અહીં તો ભગવાન તથા સાધુનાં ચિત્રો જોવા મળશે અને પુસ્તકો પણ ધર્મનાં જ વાંચવા મળશે, નોવેલો નહિ મળે. ધર્મીને ત્યાં તત્ત્વજ્ઞાનનાં પુસ્તકો હોય તે પણ મોટે ભાગે શ્રી જિનેશ્વરદેવના શાસનનાં હોય, જેનાં તેનાં ન હોય. ધર્મીના દીવાનખાનામાં જ્યાં નજર નાંખો ત્યાં ઓઘા, ચરવળા, પાતરા, કટાસણા, મુહપત્તિ અને ધર્મનાં પુસ્તકો વગેરે જ જોવા મળે.
સભાઃ “આજે તો ધાર્મિક પુસ્તકોમાં પણ પોતાનું ગોઠવી દે છે ”
તો એવાં ધાર્મિક પુસ્તક પણ ન વંચાય. અહીં તો આપ્તવચન પ્રમાણ. કુતીર્થમાં ગયેલી શ્રી જિનેશ્વર દેવની મૂર્તિ પણ જેમ પૂજ્ય નહિ તેમ મૂર્ખાઓએ પોતાનું ઉમેરીને પ્રગટ કરેલાં ધર્મશાસ્ત્રોને પણ પ્રમાણ ન મનાય. જો કે આગમોમાં પોતાનું ઉમેરે એટલી હદે એ હજી નથી જઈ શક્યા. જાય તો જિવાય તેમ નથી. હજી તો નવું લખે તેમાં પોતાનું ગોઠવે છે પણ કદી કોઈ મૂળમાં પોતાનું ગોઠવે તો આપણે જાહેર રીતે તેનો બહિષ્કાર કરવો પડે. કહ્યું છે કે –
“પરતીર્થી પરના સુર તેણે, ચૈત્ય ગ્રહ્યા વળી જેહ,
વંદન પ્રમુખ તિહાં નવિ કરવું,
- તે જયણા પટ ભેદ રે...' પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજાનાં આ વચનો જાણો છો ને ? શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ પણ જો આપણા હાથમાંથી ગઈ, અન્યના કબજામાં ચાલી ગઈ અને જુદી રીતે, તેમ જુદી દૃષ્ટિએ બીજાઓમાં પૂજાતી થઈ ગઈ તો પછી એ આપણા માટે અપૂજ્ય છે. શક્તિ હોય અને પાછી લાવી સ્વસ્થાનમાં સ્થાપી શકો તો પૂજા થાય. ચાર દિવસ માટે કોઈના કબજામાં ગઈ હોય, તે માટે કાયદેસરની કાર્યવાહી ચાલતી હોય તે દરમ્યાન તેની પૂજા કરો એ વાત જુદી. શ્રી જિનમૂર્તિની વિશેષતાઃ
શ્રી જિનેશ્વરદેવની મૂર્તિમાં જેમને કળા ન દેખાય એવાઓનું મંદિરમાં કામ નથી. કેટલાંક મંદિરમાં બીજાં રૂપકો ગોઠવાય છે તે પણ યોગ્ય નથી. પવિત્ર સ્થાનોમાં જેટલી પરવસ્તુઓ પેસે છે તે આશાતનાજનક છે, હાનિકર્તા છે.