SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ 1651 — ૩૦ : જૈનશાસનની ક્થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય – 110 —— ૪૭૩ દયાના કામમાં જૈનોનો ફાળો હોય જ. છતી શક્તિએ એ ન આપે એવું ભાગ્યે જ બને. ના તો એ પાડે જનહિ. શક્તિ હોય તો મૂઠી ભરીને સોનૈયા આપે, એના અભાવે રૂપિયા, પૈસા, પાઈ કે છેવટે ચપટી આટો પણ આપે. શક્તિ પ્રમાણે આપે. અનુકંપામાં કશો વાંધો નહિ . પણ જ્યાં પાત્રની વાત આવી, દેવ, ગુરુ, ધર્મ, સાધર્મિક એ બધાની વાત આવે ત્યાં આંખો બંધ રાખીને આગળ વધ્યા તો ફસાયા. અભિનવ શેઠે દાનશાળા ખોલી હતી. ત્યાં ગરીબોને રોજ અડદના બાકળા અપાતા હતા. અને જીરણ શેઠ તો રોજ ભગવાન મહાવીર દેવને પારણાની વિનંતી કરી ઘરે આવીને ભાવના ભાવતા હતા. ભગવાને અભિનવ શેઠના ઘરમાં પ્રવેશ કર્યો. શેઠે નોકરોને બાકળા વહોરાવવા હુકમ કર્યો. ભગવાને બાકળા વહોર્યા ત્યાં સોનૈયાની વૃષ્ટિ થઈ. મહાપુરુષનાં પગલાંનો તો એ પ્રભાવ છે કે હીણભાગીને પણ આ લાભ તો મળે જ. પણ જ્યારે કેવળજ્ઞાનીને કોઈએ પૂછ્યું કે, ‘અમારા ગામમાં પુણ્યવાન કોણ ?' ત્યારે જ્ઞાનીએ કહ્યું કે, ‘જીરણ શેઠ પરમ પુણ્યવાન છે.' અભિનવ શેઠને સોનૈયાની પ્રાપ્તિ થઈ એટલું જ પણ જીરણ શેઠની ભાવના તો કેવળજ્ઞાન આપનારી હતી. ભગવાને દાન લીધું, દુંદુભિ વાગી, એ સાંભળતાં ધ્યાનની શ્રેણી અટકી માટે કેવળજ્ઞાન ન થયું. દુંદુભિ વાગવામાં જરા વિલંબ થયો હોત તો એ કેવળજ્ઞાન પામત. જેઓ પાત્રની પરીક્ષા ન કરે તેને તે લાભ તો ન જ મળે. પોતાના નિસ્તાર માટે જે પાત્રને આપવાનું તેને અનુકંપા બુદ્ધિએ આપનાર આત્માને એ દાન સમ્યક્ પ્રકારે ન ફળે. અભિનવ શેઠ તો અજ્ઞાન હતો. મિથ્યાદ્દષ્ટિ હતો. પણ જાણકાર જો સુપાત્રની અનુકંપા કરે તો આશાતના થાય, માટે પરીક્ષા, વિવેક વગેરે અખંડપણે જાળવવાં પડશે. કુપાત્રને સુપાત્રના નામે પૂજવામાં ધર્મનો નાશ છે નિનાવ . તો જૈનશાસનને પામીને તેના એક જ સૂત્રની ઉત્થાપના કરનારને કહ્યા, પણ જેને તેને ન કહ્યા. કેમ કે, દુનિયા મિથ્યાદૃષ્ટિ તો છે અને તે, તે તે રૂપે ઓળખાય છે એટલે તેની વાત જુદી છે. પણ આ તો મહાવીરદેવને માનવાની વાત કરીને એના વચનની ઉત્થાપના કરનાર છે માટે એને નિશ્ર્વન કહ્યા. મુનીમ હોય અમુક શેઠનો અને મળેલો હોય બીજાની સાથે એ નભે ? ન જ નભે. બીજાનો મુનીમ આપણું ખરાબ બોલે ત્યાં એટલી ગભરામણ નહિ. કેમ કે એ તો પા૨કો છે જ. પણ પોતાનો મુનીમ ખરાબ બોલે છે એમ ખબર પડે તો એ જોખમકા૨ક ખરો ને ? નિહ્નવ જેવા બનેલા છતાં પોતાને સારા માનનારા અને એને પૂજનારા એ બધા ધર્મનો નાશ કરનારા છે.
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy