________________
1650
૪૭૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
તો કમાલ પણ દુઃખ એ વાતનું છે કે ઠેકાણે ઠેકાણે વૈરાગ્ય જ ભર્યો છે. એ જો કાઢી નાખવામાં આવે તો એ સાહિત્ય વાંચી દુનિયા ખુશ થઈ જાય.' એ અજ્ઞાનો એટલું પણ સમજતા નથી કે જો એ કાઢી નાખવામાં આવે તો પછી ૨હે શું ? ખાલી ખોખું. ભોજનના અણુએ અણુએ જેમ લૂણ પરિણમવું જોઈએ તેમ શાસ્ત્રના પદે પદે વૈરાગ્ય પરિણમવો જોઈએ.
કથાઓ અને દૃષ્ટાંતોનો હેતુઃ
જૈનશાસનના મહાપુરુષોએ કથાઓમાં તથા દૃષ્ટાંતોમાં ડગલે-પગલે એક જ હેતુ રાખ્યો છે કે, આ કથાઓના યોગે આત્મા આશ્રવથી છૂટે, સંવરનું સેવન કરે, નિર્જરા સાધે અને મુક્તિ પામે. પહેલેથી છેલ્લે સુધી એ જ પ્રયત્ન. જે આ કથાના યોગે આશ્રવ પામે, સંવરથી દૂર રહે, નિર્જરા ન સાધે અને મુક્તિ ભૂલી જાય તો એનામાં અને મિથ્યાદષ્ટિમાં ફરક નથી.
દુન્યવી જ્ઞાનને સમ્યજ્ઞાન ના મનાય
દુનિયાનું તમામ જ્ઞાન એ સમ્યગ્નાન નથી. એનાથી દર્શનમાં, ચારિત્રમાં કે તપમાં સમ્યપણું ન આવે. એ ન આવે એટલે ન સાધુ બનાય, ન ઉપાધ્યાય બનાય, ન આચાર્ય બનાય અને ન સિદ્ધ કે અરિહંત બનાય. આવા જ્ઞાનને સમ્યજ્ઞાન મનાય શી રીતે ?
સંખ્યા વધારવા ઘરમાં પારકાને પ્રવેશવા ના દેવાય
સમ્યગજ્ઞાની અને મિથ્યાજ્ઞાનીનો વિવેક તો કરવો જ પડશે, નહિ તો શંભુમેળો થશે. સંખ્યા વધારવાના લોભે એવા શંભુમેળામાં ન રાચો. ઘઉં ખાનારો મણ ઘઉંમાંથી પાશેર કાંકરા કાઢી નાખતાં. ગભરાતો નથી. હા ! ઘઉં વેચનારો ગભરાય. એ તો ઉપરથી બીજા પાશેર કાંકરા લાવીને એમાં નાખે. તમે એવા નથી ને ? શાસનની ઉપાસના કરનારે કાંકરાથી રાજી ન થવું. કાંકરા નભાવ્યા તો તો બધી રસોઈ બગડશે. થોડું ઓછું થાય તેથી ન ગભરાઓ. ઘરમાં ચાર જણા હોય તેના પાંચ કરવા પારકાને ઘરમાં પ્રવેશવા ના દેવાય. ઘરના વધીને પચીસ થાય ત્યાં ગભરામણ નહિ. કેમ કે એ તો બધા મૂડીને સાચવે પણ પારકો એક પેસી જાય તો તે માલ બગાડે, મૂડી ખાઈ જાય, વખતે બહાર પણ ફેંકી આવે, એ બધું જ કરે. કેમ કે એ કોણ ? પા૨કો.
દાનમાં પણ ભાવનું મહત્ત્વ ઃ
શ્રી જિનેશ્વરદેવે અનુકંપાનો નિષેધ નથી કર્યો. ત્યાં કરોડો પણ ખર્ચવાની ના નથી પાડી. અનુકંપાદાનમાં તો શાસનની પ્રભાવના કહી છે. કોઈ પણ