SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ 1650 ૪૭૨ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩ તો કમાલ પણ દુઃખ એ વાતનું છે કે ઠેકાણે ઠેકાણે વૈરાગ્ય જ ભર્યો છે. એ જો કાઢી નાખવામાં આવે તો એ સાહિત્ય વાંચી દુનિયા ખુશ થઈ જાય.' એ અજ્ઞાનો એટલું પણ સમજતા નથી કે જો એ કાઢી નાખવામાં આવે તો પછી ૨હે શું ? ખાલી ખોખું. ભોજનના અણુએ અણુએ જેમ લૂણ પરિણમવું જોઈએ તેમ શાસ્ત્રના પદે પદે વૈરાગ્ય પરિણમવો જોઈએ. કથાઓ અને દૃષ્ટાંતોનો હેતુઃ જૈનશાસનના મહાપુરુષોએ કથાઓમાં તથા દૃષ્ટાંતોમાં ડગલે-પગલે એક જ હેતુ રાખ્યો છે કે, આ કથાઓના યોગે આત્મા આશ્રવથી છૂટે, સંવરનું સેવન કરે, નિર્જરા સાધે અને મુક્તિ પામે. પહેલેથી છેલ્લે સુધી એ જ પ્રયત્ન. જે આ કથાના યોગે આશ્રવ પામે, સંવરથી દૂર રહે, નિર્જરા ન સાધે અને મુક્તિ ભૂલી જાય તો એનામાં અને મિથ્યાદષ્ટિમાં ફરક નથી. દુન્યવી જ્ઞાનને સમ્યજ્ઞાન ના મનાય દુનિયાનું તમામ જ્ઞાન એ સમ્યગ્નાન નથી. એનાથી દર્શનમાં, ચારિત્રમાં કે તપમાં સમ્યપણું ન આવે. એ ન આવે એટલે ન સાધુ બનાય, ન ઉપાધ્યાય બનાય, ન આચાર્ય બનાય અને ન સિદ્ધ કે અરિહંત બનાય. આવા જ્ઞાનને સમ્યજ્ઞાન મનાય શી રીતે ? સંખ્યા વધારવા ઘરમાં પારકાને પ્રવેશવા ના દેવાય સમ્યગજ્ઞાની અને મિથ્યાજ્ઞાનીનો વિવેક તો કરવો જ પડશે, નહિ તો શંભુમેળો થશે. સંખ્યા વધારવાના લોભે એવા શંભુમેળામાં ન રાચો. ઘઉં ખાનારો મણ ઘઉંમાંથી પાશેર કાંકરા કાઢી નાખતાં. ગભરાતો નથી. હા ! ઘઉં વેચનારો ગભરાય. એ તો ઉપરથી બીજા પાશેર કાંકરા લાવીને એમાં નાખે. તમે એવા નથી ને ? શાસનની ઉપાસના કરનારે કાંકરાથી રાજી ન થવું. કાંકરા નભાવ્યા તો તો બધી રસોઈ બગડશે. થોડું ઓછું થાય તેથી ન ગભરાઓ. ઘરમાં ચાર જણા હોય તેના પાંચ કરવા પારકાને ઘરમાં પ્રવેશવા ના દેવાય. ઘરના વધીને પચીસ થાય ત્યાં ગભરામણ નહિ. કેમ કે એ તો બધા મૂડીને સાચવે પણ પારકો એક પેસી જાય તો તે માલ બગાડે, મૂડી ખાઈ જાય, વખતે બહાર પણ ફેંકી આવે, એ બધું જ કરે. કેમ કે એ કોણ ? પા૨કો. દાનમાં પણ ભાવનું મહત્ત્વ ઃ શ્રી જિનેશ્વરદેવે અનુકંપાનો નિષેધ નથી કર્યો. ત્યાં કરોડો પણ ખર્ચવાની ના નથી પાડી. અનુકંપાદાનમાં તો શાસનની પ્રભાવના કહી છે. કોઈ પણ
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy