SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ 1647 ૩૦ : જૈનશાસનની થાઓ... વૈરાગ્યરસ અને વર્તમાન સમય – 110 — ૪૫૯ સુપાત્રદાન અને અનુકંપાદાન : માટે તો દાનમાં જ્ઞાનીએ સુપાત્રદાન અને અનુકંપાદાન – એમ ભેદ પાડ્યા. અનુકંપા દાન અપાત્ર કે કુપાત્રમાં જ છે. દાન કરતાં ત્યાં કશો વિચાર કરવાનો નહિ. પણ સુપાત્રમાં તો ભક્તિ છે. તેથી ત્યાં પાત્રાપાત્રનો વિવેક જરૂ૨ ક૨વાનો છે. પૈસા ઉછાળીને દાન દેવાય ત્યાં કોણ લેશે ? તે ન જોવાય. દીન, અનાથ, કંગાળ કોઈ પણ લે અને સુખી થાય એ જ અનુકંપાદાનમાં ભાવના. એ રીતે આંખો મીંચીને સુપાત્રના નામે ગમે તેને ન દેવાય. મૂર્તિ ગમે તેવી હોય, હાથમાં હથિયાર હોય કે પાસે સ્ત્રી બેસાડી હોય. પણ નામ મહાવીર લખ્યું હોય તો પૂજાય ? ન જ પૂજાય. વેષ મુનિનો હોય પણ વેશ્યાને ઘેર જતો હોય તો વંદન થાય ? ન થાય. કોઈ પૂછે કે વેષ તો છે પછી વંદન કેમ નહિ ? વેષને અનુરૂપ વર્તન નથી માટે. કોઈ કહે કે, “હું જૈન છું, પણ ફાવે તો મહાવીરને માનું. ન ફાવે તો ન પણ માનું. શાસ્ત્રોને હું કાંઈ માનતો નથી. આ જમાનામાં વાતવાતમાં ધર્મ અને પાપની વાતો કર્યે ન ચાલે, બાકી તો હું પણ જૈન છું, તમારા એકલાનો જ ઇજારો નથી.” આવાને જૈન મનાય ? આવાની ભક્તિ થાય શી રીતે ? અનુકંપા કરો તે વાત જુદી પણ સાધર્મિક તરીકે એવાની ભક્તિ તો ન જ થાય ને ! પાત્રની વાત આવે ત્યાં જોવું પડે કે દેવ તો વીતરાગ શ્રી જિનેશ્વર જ, ગુરુ તો નિગ્રંથ જ અને ધર્મ શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલો છે તે જ. દેવ, ગુરુ, ધર્મને અખંડિતપણે માને તેં જ જૈન, એ ત્રણની મશ્કરી કરે તે જૈન નહિ. સાતેય સુપાત્રની ભક્તિ કરવાની છે તે ગુણ મેળવવા માટે છે. અનુકંપાદાનમાં તો ‘એ બિચારો સુખી થાય’ એ જ ભાવનાં છે. અનુકંપાદાન આંખ મીંચીને દેવાય, પણ સુપાત્રની ભક્તિમાં યોગ્યતા જોવી જોઈએ. ત્યાં આંખ મીંચે ન ચાલે. જો ત્યાં આંખો મીંચાય તો સમ્યક્ત્વ ડૂલ થાય, મિથ્યાત્વ આવી જાય અને પામેલો ધર્મ હારી જવાય. તો ભક્તિની વાતો એ દંભ છેઃ - આંજના કેટલાક કહે છે કે, ‘આ દેવ, આ ગુરુ અને આ ધર્મ સારા અને આ ખોટા, એની આપણે શી પંચાત ? આપણે તો બધાય સરખા.' તો તો કહેવું પડે કે સાધુને પણ બાવાની જેમ અનુકંપાદાન દેવાય છે. વાસણ સાફ કરવાની જેમ ભગવાનની મૂર્તિ સાફ કરાય છે. બાકી ભક્તિની વાતો થતી હોય તે બધો દંભ છે. આવો દંભ આ શાસનમાં નહિ ચાલે. ભક્તિ તો પાત્રની જ થાય. હાથ તો અમુકને જ જોડાય. કોઈનું ભલું કરવા બધું દઈ દેવાય તે જુદી વાત. એમ દઈ દેવાની મના નથી. પણ ગમે ત્યારે ગમે ત્યાં પાત્રની વાત આવી ત્યાં બરાબર વિચારવાનું આટલું સમજો !
SR No.005854
Book TitleSangh Swarup Darshan Part 03
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages630
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy