________________
૪૫૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
–
-
146
હિંસાના ત્રણ પ્રકાર :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રીસંઘમેરૂની જીવદયારૂપી કંદરાઓનું (ગુફાઓનું) શાસનમાં વર્ણન કરી રહ્યા છે. શ્રી જિનેશ્વરદેવના શાસનનું એક પણ અનુષ્ઠાન એવું ન હોય, જેમાં અહિંસક ભાવને ટક્કર લાગે. દરેક ક્રિયામાં અહિંસક ભાવની મુખ્યતા જળવાવી જોઈએ. માટે તો જ્ઞાનીઓને ક્રિયાના વિવેકપૂર્વક વિભાગ કરવા પડ્યા. જે ક્રિયા મુક્તિની સાધક છે તેમાં તેને વિધિપૂર્વક કરવા છતાં અનિવાર્યપણે થતી હિંસાને જ્ઞાનીએ સ્વરૂપ હિંસા કહી. જે ક્રિયા અજયણાપૂર્વક કરવામાં આવે તેમાં થતી હિંસા એ હેતુ હિંસા છે. જે ક્રિયા આજ્ઞાની ઉપેક્ષા અને મિથ્યાત્વને આધીન થઈને કરવામાં આવે તેમાં થતી હિંસા તે અનુબંધ હિંસા છે. પૂજામાં સ્વરૂપ હિંસા કહી પરંતુ તે પૂજા પણ મુક્તિ માટે અને જયણાપૂર્વક કરે તો જ. દુનિયાની ઇચ્છાઓ, દુન્યવી પદાર્થોની પ્રાપ્તિ માટે પૂજા કરે તો ત્યાં પણ હેતુ હિંસા છે અને એમાં વાંધો નહિ, એ તો એમ જ થાય.” એવી મનોવૃત્તિ ઘડાઈ જાય તો તે અનુબંધ હિંસામાં પણ જાય. જેનાથી છૂટવાનું છે તેનાથી જ બંધાવાય. " જૈનદર્શન અને અન્ય દર્શનમાં ભેદ શું ?
સંસારના પપાસુ રહેવું અને ધર્મી કહેવરાવવું એ ન બને. સંસારમાં રહે તે નભે, કેમ કે ત્યાં લાચારી માને છે. પણ ત્યાં પ્રેમ જીવતોજાગતો રહે, એમાં રાચીમાચીને રહેવાનું મન થતું હોય અને સંસાર જ મઝેનો લાગતો હોય તેને શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વાસ્તવિક સ્થાન નથી. મુક્તિના ધ્યેય વિના પ્રભુનું શાસન ફળતું નથી. અન્ય દર્શનીઓની જેમ તમે પણ દેવગતિ વગેરેના ધ્યેયથી ધર્મક્રિયા કરો અને સંસારનાં સુખ મેળવો તો જૈનદર્શન અને અન્ય દર્શનનો ભેદ
ક્યાં રહેશે ? “ઇતર દર્શનો એ કુ-દર્શનો અને જૈનદર્શન એ સુદર્શન એવું શા માટે ? એવો કોઈ તમને પ્રશ્ન કરે તો તમે શો જવાબ આપશો ? દાન તો આપણી માફક ત્યાં પણ દેવાય છે, શીલ પણ પળાય છે અને તપનાં પણ વિધાન ત્યાં છે.
ત્યાં પણ કાંઈ બધા જ લોકો એકાદશીમાં ફરાળ ખાતા નથી. સુંદર વિચાર તો તેઓ પણ કરે છે, પણ ભેદ ત્યાં છે કે એ ચારે કરવા શા માટે ? ક્રિયા એક જ, વસ્તુ એક જ પણ ધ્યેય અલગ છે. ધ્યેય બદલવાથી આખી વસ્તુ જ ફરી જાય છે. તમે સ્વાર્થ માટે કોઈને જમાડો અને વિના સ્વાર્થે જમાડો તેમાં ફેર પડી જાય કે નહિ ? જેવો ભાવનામાં ભેદ તેવો ક્રિયાના ફળમાં પણ ભેદ. સંસારનો રસ કાઢ્યા વિના ધર્મક્રિયા જિનશાસનની થઈ શકતી નથી.