________________
1215
૨ : મળશે બધું પણ માગશો શું ?
- 82
૨૭
કરીને પણ તેને દીક્ષા અપાય. જૈનકુળમાં જન્મેલાને તો નાની વયથી જ સંસારની અસારતાના સંસ્કાર હોય.
– અમે એના વાલી બનવા તૈયાર છીએ :
સભા ‘નાની ઉંમરવાળા માટે સરકાર મેનેજમેંટ મૂકે છે. એ ઉંમરલાયક ન થાય ત્યાં સુધી એને મિલકત સોંપાતી નથી. એના વાલી તરીકે જે નિમાય તેને સોંપાય છે; તો એવો કાયદો અહીં નહીં ?’
એ જ કાયદો અહીં પણ ખરો. ત્યાં એને મિલકત સોંપાતી નથી પણ જે વાલી નિમાયો હોય, તે એને લાખો રૂપિયાના અલંકાર પહેરાવી શકે છે. હીરાનો હીર, વીંટી વગેરે બધું પહેરાવે. અમને પણ માબપ પોતાના બાળકનું વાલીપણું સોંપે તેનું સ્વીકારીએ. અમારા વાલીપણામાં જે માબાપને પોતાના બાળકનું હિત જણાતું હોય તે જ અમને સોંપે છે. એ વયમાં અમને ન સોંપે તો અમે દીક્ષા હરગિજ ન આપીએ. કાયદાનો બાધ પહોંચે એવું એક કાર્ય કર્યું નથી કે એવી એક પણ દીક્ષા મેં આપી નથી.
સભા ત્યારે બહારનો ઘોંઘાટ તો બહુ જુદો છે !’
તે તમારે વિચા૨વાનું. પૂરતી તપાસ વિના બહારનો ઘોંઘાટ સાચો માની લેવાની ભૂલથી જ પરિણામ ખરાબ આવે છે.
દેશકાળ ધર્મના પ્રચાર માટે જોવાનો કે ધર્મના નાશ માટે ? કોઈ દેશ કે કોઈ કાળ એવો નથી કે જેમાં ધર્મનો પ્રચાર ન કરાય. મુંબઈ જેવાં શહે૨ોમાં કઈ રીતે ધર્મનો પ્રચાર કરવો અને તેવા કોઈ ગ્રામપ્રદેશમાં કઈ રીતે પ્રચાર કરવો, અમુક કાળમાં કઈ રીતે ધર્મ પ્રચારવો અને અમુક કાળમાં કઈ રીતે પ્રચારવો - એ બધું જરૂર જોવું જોઈએ. શાસ્ત્રકારો તો ધર્માર્થે દેશને પણ તજવાનું કહે છે.
આ વખતે પ્રશ્નકારે દીક્ષા અંગેની તે વખતની ધાંધલને વખોડી કાઢી હતી. તેમજ તે વખતે ચાલતી સ્વરાજની ચળવળ વગેરે પ્રવૃત્તિની રીતરસમ ખોટી જાહેર કરી હતી.] મારો મુદ્દો એ છે કે બહાર જે કાંઈ વાતો ચાલે છે તે બને ત્યાં સુધી સાંભળવી નહિ, સાંભળી હોય તો બે પક્ષની પૂરી વાત સાંભળ્યા વિના નિર્ણય કરવો નહિ અને સત્યનો નિર્ધાર કર્યા વિના એ વાતને ન તો હૈયામાં પેસવા દેવી કે ન તો મોઢેથી બહાર લાવવી. સત્યના નિર્ધાર વિના ખોટી વાતને બહાર મૂકવાથી અનેક અજ્ઞાન આત્માઓ બિચારા ઉન્માર્ગે દોરાઈ જાય.
[અહીં પ્રશ્નકારે સ્વરાજ્ય અને પુણ્ય એ બે મુદ્દાને ચર્ચા પુણ્ય વિના કશું જ નથી માટે પુણ્ય ક૨વાની પ્રેરણા કરી હતી.]