________________
૪૫૭ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૩
144 તપાસ કરે કે શું વિઘ્ન છે, વિપ્ન કરનાર કોણ છે, એ દૂર કઈ રીતે થાય તેમ છે વિગેરે તપાસ કરીને વિઘ્ન દૂર કરે. ભાત પાણીનો લાભ એટલે એકલા ભાત ન સમજવા. ગામડામાં રોટલા ખાવા બોલાવે ત્યાં એકલા રોટલા ન હોય. પણ સાથે બધું હોય ને ઘીની વાઢી તો ઊંધી વળતી હોય. એ તો બોલવાની એક જાતની ભાષા છે. શ્રાવકો ત્રણે કાળ મુનિના સંયમની આ રીતે ખબર લે. મંત્રીશ્વર વસ્તુપાલનો પ્રસંગ
વસ્તુપાલના સમયમાં એક વખત રાજાના મામાએ જૈન મુનિ સામે આંગળી ચીંધી, મુનિનું અપમાન કર્યું. વસ્તુપાલે આ વાત જાણી કે તરત પોતાના સેવકોને એ મામાની આંગળી કાપી લાવવાનો હુકમ કર્યો અને એ આવે પછી જ અન્નપાણી લેવાનો સંકલ્પ કર્યો. અહીં હિંસકભાવ નથી. પણ આ રીતે શિક્ષા થવાથી ભવિષ્યમાં મુનિઓની આશાતના ન થાય એ હેતુ છે. સેવકો આંગળી કાપી લાવે છે. રાજા પાસે ફરિયાદ જાય છે. રાજા ગુસ્સે થાય છે. વસ્તુપાળને રાજસભામાં હાજર થવાનો હુકમ મોકલે છે. વસ્તુપાળ નથી જતાં એટલે યુદ્ધની તૈયારી થાય છે. રાજ્યનાં ડાહ્યા ગણાતા અન્ય મંત્રીઓ વચ્ચે પડે છે. રાજાને સમજાવે છે કે, “રાજ્યને આબાદ કરનારા મંત્રીશ્વર સામે સાચું કારણ જાણ્યા સિવાય આવું પગલું ભરવું વાજબી નથી. મંત્રીશ્વર વિના કારણે આમ ન કરે.” રાજા ઠંડો પડ્યો અને તપાસ કરાવી. પછી તો મંત્રીશ્વરને સત્કારપૂર્વક રાજ્યકચેરીમાં તેડાવ્યા છે. રાજ્યના ડાહ્યા આગેવાનોએ મંત્રીશ્વરની લડતને
ન્યાયયુક્ત કહી છે. વસ્તુપાલને પેલા સાધુ કાંઈ ફરિયાદ કરવા નહોતા ગયા. પણ વસ્તુપાલન મુનિ પ્રત્યે પૂર્ણ આદર હતો. જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે:
આજ તો કહે છે કે, “અમે સંઘ, અમારી આજ્ઞા માનો.” આવું કહેનારા પાછા પૂર્વાચાર્યોને ગાળો દેતા હોય. એવાં ગાંડાઓના ટોળાંને સંઘ માનવાની મૂર્ખાઈ કોઈ ન કરે. એવાને તો હડફેટે ચઢાવવા પડે. જૈનશાસનમાં યોગ્યની પૂજા વિહિત છે, મા-બાપને ગાળો દેનારા નિંદકોની નહિ. ઉપસંહાર:
હવે જીવદયા રૂપી કંદરાઓમાં વસતા, કર્મશત્રુને પરાજય પમાડવામાં ઉદ્દામ અને કુમતવાદીરૂપી હરણિયાઓને ત્રસ્ત કરવામાં સિંહ જેવી મુનિવરોનું વિશેષ વર્ણન શું કરે છે, તે હવે પછી.